160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવા કાયમ માટે બંધ થઇ

telegram-service
તિરુચિરાપલ્લી, 13 જૂન : ભારતમાં વાયરલેસ સર્વિસીસ અને સ્માર્ટ ફોન્સના જમાનામાં દોઢ સદીથી પણ વધારે વર્ષ જૂની એક સેવાનો હવે અંત આવવા જઇ રહ્યો છે. ભારતમાં 160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવાનો અંત આવી ગયો છે. ભારત સરકાર હસ્તકની બીએસએનએલ કંપનીએ આ 15 જુલાઈ, 2013થી ટેલિગ્રામ સેવાને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

એક સમયે જે ઝડપી અને તાકીદના સંદેશવ્યવહાર તરીકે ખૂબ ઉપયોગી એવી ટેલિગ્રામ (તાર) સેવાએ દેશભરમાં લોકોને ઘણા સુખદ અને દુ:ખદ સમાચારો તાત્કાલિક ધોરણે પહોંચાડ્યા છે. પરંતુ, મોડર્ન ટેક્નોલોજીની શોધ અને અમલ સાથે તેમજ સંદેશવ્યવહારના નવા સાધનો આવતાં ટેલિગ્રામ સેવાનો ઉપયોગ ક્રમશ: ઘટતો ગયો છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) કોર્પોરેટ ઓફિસ, નવી દિલ્હીના સિનીયર જનરલ મેનેજર (ટેલિગ્રાફ સેવા) શમીમ અખ્તરે બહાર પાડેલા એક સર્ક્યૂલરમાં જણાવાયું છે કે ટેલિગ્રાફ સેવા આવતી 15 જુલાઈથી બંધ થશે. આ સર્ક્યૂલર તમામ જિલ્લા ટેલિકોમ કાર્યાલયોમાં મોકલવામાં આવ્યો છે. હવેથી બીએસએનએલના મેનેજમેન્ટ હેઠળ આવતી તમામ ટેલિગ્રાફ ઓફિસોમાં 15 જુલાઈથી ટેલિગ્રામનું બુકિંગ બંધ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X