Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંડેને શ્રદ્ધાંજલિ બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત

નવી દિલ્હી, 4 જૂન : ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના નિધનને પગલે આજે સંસદમાં દિવસભરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આડે મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ભારતમાં 16મીં લોકસભાનું પ્રથમ સત્ર આજે 11 વાગે શરૂ થયું હતું. સંસદની કાર્ય પદ્ધતિ અનુસાર દિવંગત નેતા ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૌન રાખવામાં આવ્યું અને ત્યારબાદ સંસદની કાર્યવાહી કાલ સુધી સ્થિગત કરી દેવામાં આવી હતી.

indian-parliament-2

મુંડેના દુ:ખદ અવસાનને કારણે આજે સંસદમાં થનારી સાંસદોની શપથવિધિને પણ મુલતવી રાખવામાં આવી છે. હવે નવા સાંસદો આવતીકાલે એટલે કે 5 અને 6 જૂનના રોજ શપથ ગ્રહણ કરશે. આજથી શરૂ થનારા સંસદ સત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને વચગાળાના સ્પીકર તરીકે પસંગ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

લોકસભાના 6 દિવસના પ્રથમ સત્રમાં 6 જૂને સ્પીકરની પસંદગી કરાશે. ભાજપના નેતા સુમિત્રા મહાજનને સ્પીકર પદે પસંદ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યાર બાદ 9 જૂને રાષ્ટ્રપતિ બંને સભાગૃહોને સંબોધશે. ત્યાર બાદ 10 તેમજ 11 જૂને આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે અને એ જ દિવસે આ વિશેષ સત્ર પુરું થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X