મુંડેને શ્રદ્ધાંજલિ બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત
નવી દિલ્હી, 4 જૂન : ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના નિધનને પગલે આજે સંસદમાં દિવસભરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આડે મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભારતમાં 16મીં લોકસભાનું પ્રથમ સત્ર આજે 11 વાગે શરૂ થયું હતું. સંસદની કાર્ય પદ્ધતિ અનુસાર દિવંગત નેતા ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૌન રાખવામાં આવ્યું અને ત્યારબાદ સંસદની કાર્યવાહી કાલ સુધી સ્થિગત કરી દેવામાં આવી હતી.

મુંડેના દુ:ખદ અવસાનને કારણે આજે સંસદમાં થનારી સાંસદોની શપથવિધિને પણ મુલતવી રાખવામાં આવી છે. હવે નવા સાંસદો આવતીકાલે એટલે કે 5 અને 6 જૂનના રોજ શપથ ગ્રહણ કરશે. આજથી શરૂ થનારા સંસદ સત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને વચગાળાના સ્પીકર તરીકે પસંગ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
લોકસભાના 6 દિવસના પ્રથમ સત્રમાં 6 જૂને સ્પીકરની પસંદગી કરાશે. ભાજપના નેતા સુમિત્રા મહાજનને સ્પીકર પદે પસંદ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યાર બાદ 9 જૂને રાષ્ટ્રપતિ બંને સભાગૃહોને સંબોધશે. ત્યાર બાદ 10 તેમજ 11 જૂને આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે અને એ જ દિવસે આ વિશેષ સત્ર પુરું થશે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
