...તો નરેન્દ્ર મોદી 21 મેએ લેશે વડાપ્રધાન તરીકેના શપથ
નવી દિલ્હી, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણી પરિણામો બહાર આવી રહ્યા છે. ભાજપ અત્યાર સુધીમાં 14 બેઠકો પર વિજય મેળવી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી અને 0 બેઠક પર જ છે.
ભાજપ તરફી પરિણામોને પગલે નરેન્દ્ર મોદી 21 મે, 2014ના રોજ વડાપ્રધાન પદ માટેના શપથ લઇ શકે છે. ચૂંટણી પરિણામોનો ટ્રેન્ડ જોઇને ભાજપના અગ્રણી નેતાઓએ હવે આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા શરૂ કરી છે.

કહેવામાં આવે છે કે શનિવારે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક મળશે જેમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ અંગે નરેન્દ્ર મોદી પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહની સાથે બેઠક યોજી ચૂક્યા છે. મોદીએ તેમને સરકાર બનાવવા અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે વરિષ્ઠ નેતાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2014 પૂર્ણ રીતે જાહેર થયા બાદ ભાજપ, અન્નાદ્રમુક અને બીજેડીની સાથે વાતચીતના દ્વાર ખોલી શકે છે. સીમાંધ્રમાં ભાજપ જગન રેડ્ડી સાથે જોડાણ કરી શકે છે. જ્યારે તેલંગાણામાં તેઓ ટીઆરએસથી સમજુતી કરી શકે છે. જો કે આ બાબત પાર્ટીની સ્થિતિ પર નિર્ભર રહેશે.
નરેન્દ્ર મોદી વારાણસીમાં જીત મેળવ્યા બાદ ગંગા આરતીમાં ભાગ લેશે અને પૂજન પણ કરશે. ત્યાંના લોકોને તેઓ ધન્યવાદ પણ આપશે. આ ઉપરાંત તેઓ વડોદરા પણ જશે. તેઓ 17મેથી 21 મે સુધી રાજધાનીમાં રહેશે. જો પાર્ટીને પૂર્ણ બહુમત મળશે તો તેઓ 21 મેના રોજ શપથ લેશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
