...તો નરેન્દ્ર મોદી 21 મેએ લેશે વડાપ્રધાન તરીકેના શપથ
નવી દિલ્હી, 16 મે : લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણી પરિણામો બહાર આવી રહ્યા છે. ભાજપ અત્યાર સુધીમાં 14 બેઠકો પર વિજય મેળવી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી અને 0 બેઠક પર જ છે.
ભાજપ તરફી પરિણામોને પગલે નરેન્દ્ર મોદી 21 મે, 2014ના રોજ વડાપ્રધાન પદ માટેના શપથ લઇ શકે છે. ચૂંટણી પરિણામોનો ટ્રેન્ડ જોઇને ભાજપના અગ્રણી નેતાઓએ હવે આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા શરૂ કરી છે.

કહેવામાં આવે છે કે શનિવારે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક મળશે જેમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ અંગે નરેન્દ્ર મોદી પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહની સાથે બેઠક યોજી ચૂક્યા છે. મોદીએ તેમને સરકાર બનાવવા અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે વરિષ્ઠ નેતાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2014 પૂર્ણ રીતે જાહેર થયા બાદ ભાજપ, અન્નાદ્રમુક અને બીજેડીની સાથે વાતચીતના દ્વાર ખોલી શકે છે. સીમાંધ્રમાં ભાજપ જગન રેડ્ડી સાથે જોડાણ કરી શકે છે. જ્યારે તેલંગાણામાં તેઓ ટીઆરએસથી સમજુતી કરી શકે છે. જો કે આ બાબત પાર્ટીની સ્થિતિ પર નિર્ભર રહેશે.
નરેન્દ્ર મોદી વારાણસીમાં જીત મેળવ્યા બાદ ગંગા આરતીમાં ભાગ લેશે અને પૂજન પણ કરશે. ત્યાંના લોકોને તેઓ ધન્યવાદ પણ આપશે. આ ઉપરાંત તેઓ વડોદરા પણ જશે. તેઓ 17મેથી 21 મે સુધી રાજધાનીમાં રહેશે. જો પાર્ટીને પૂર્ણ બહુમત મળશે તો તેઓ 21 મેના રોજ શપથ લેશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
