Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારમાં 17 મંત્રીઓ શામિલ થયા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે, જેમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. માનવામાં આવે છે કે રાજ્યમાં સરકાર રચવા કરતાં વધુ મુશ્કેલ પડકાર ભાજપ સમક્ષ કેબિનેટ તૈયાર કરવાનું હતું.

bs Yediyurappa

મંત્રી મંડળ માટે મુખ્યમંત્રીએ કુલ 17 ધારાસભ્યોના નામ રાજ્યપાલને મોકલ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજે ​​રાજભવન ખાતે આ તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જણાવી દઈએ કે જેડીએસ અને કોંગ્રેસની સરકારના પતન પછી, 26 જુલાઇએ ભાજપાએ રાજ્યમાં સરકાર બનાવી અને યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. જો કે, હજુ પણ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને ભાજપ મંત્રીપદ આપે છે કે કેમ તે સવાલ હજી બાકી છે.

જે 17 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે તેમના નામ જગદીશ શેટ્ટર, કેએસ ઇશ્ર્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પૂજારી, એચ નાગેશ, લક્ષ્મણ સવદી, ગોવિંદ એમ કર્કાજોલ, અશ્વથ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમાન્ના, સીટી રવિ, બસવરાજ બોમ્માઇ, જેસી મધુ સ્વામી, સીસી પાટિલ, પ્રભુ ચૌહાણ, શશીકલા જોલે અન્નાસાહેબ છે. આ લોકોમાં, શશીકલા એકમાત્ર મહિલા ધારાસભ્ય છે જેમણે પદના શપથ લીધા છે. આપને જણાવી કે કર્ણાટકમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 34 હોઈ શકે છે.

આ પણ વાંચો: જીવની પરવા કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા 12 વર્ષનો બાળક પાણીમાં કૂદી ગયો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X