ટાઇટલરની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ફટકારી CBIને નોટીસ

ન્યાયમૂર્તિ એસ.પી ગર્ગે સીબીઆઇની સાથે જ ટાઇટલરની પ્રતિવાદી લખવિંદર કૌરને પણ નોટિસ આપીને ચાર સપ્તાહમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ ગર્ગે આની સાથે જ ટાઇટલરની સામે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ તપાસના આદેશ પર સ્ટે લાદવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે 'માત્ર તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને કોર્ટ તપાસને રોકશે નહી.'
નીચલી કોર્ટે 10 એપ્રિલને ટાઇટલરની સામે મામલાને ફરી ખોલવાનો આદેશ કર્યો હતો. તેણે સીબીઆઇ દ્વારા ટાઇટલરને આપવામાં આવેલી ક્લીન ચિટનો અસ્વીકાર કરી દીધો. પોતાની અરજીમાં ટાઇટલરે કહ્યું કે નીચલી કોર્ટનો આદેશ ક્રાઇમ પ્રક્રિયા સંહિતાની વિરુદ્ધ છે. કોઇપણ તપાસની પ્રક્રિયા અને શૈલી તપાસ એજન્સીનો વિશેષાધિકાર હોય છે. કોર્ટને આ આદેશ આપવાનો અધિકાર નથી કે કયા સાક્ષી સાથે કેવી રીતે પૂછપરછ કરવામાં આવે.
નીચલી કોર્ટે 29 વર્ષ વર્ષ જૂના કેસમાં એક પીડિતા લખવિંદર કૌરની અરજી પર કેસને ફરી ઓપન કરવાનો આદેશ આપ્યો હતો. કૌરનો આરોપ છે કે ટાઇટલર દ્વારા ભડકાવવાના કારણે એક હિંસક ભીડે પલ્લરાની દિલ્હીના ગુરુ દ્વારા પુલ બંગશની નીજીક ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી. માર્યા ગયેલા લોકોના નામ બાદલ સિંહ, ઠાકુર સિંહ અને ગુરુચરણ સિંહ હતા.
સીબીઆઇએ પોતાના તપાસ અહેવાલમાં દાવો કર્યો છે કે જ્યારે એક નવેમ્બર, 1984ના રોજ આ ઘટના ઘટી હતી, ત્યારે ટાઇટલર ત્રણ મૂર્તિ ભવનમાં હતા. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઇંદીરા ગાંધીના મૃત શરીરને રાખવામાં આવ્યું હતું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
