ઉત્તર પ્રદેશમાં વિજળી પડતા 20 લોકોના મોત

ligthtening
લખનઉ, 26 માર્ચઃ ઉત્તર પ્રદેશમાં આકાશ પરથી વિજળી પડતાં 20 લોકોના મોત થયા છે અને અંદાજે બે ડઝનથી વધારે લોકો દાઝી ગયાના અહેવાલ છે. વિજળી પડતાં લખીમપુર ખીરી અને હરદોઇમાં ચાર-ચાર, બહરાઇચ અને કન્નોજમાં ત્રણ-ત્રણ, ગોણ્ડામાં બે તથા બારાબંકી અને બરેલીમાં એક-એકનું મોત નિપજ્યું છે. જ્યારે કાનપુરમાં અન્ય બે લોકોના મોત નિપજ્યાં છે.

આ પ્રાકૃતિક આપદાથી બે ડઝન લોકો દાઝ્યા અને મોટી સંખ્યામાં ઢોર મર્યા હોવાની સાથો-સાથ ખેડુતોની મોટા પાકને આગ લાગી હોવાની પણ માહિતી છે. લખીમપુર-ખીરી જનપદના તહસીલ મોહમ્મદી ક્ષેત્રમાં વિજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કિશોર સહિત ચાર લોકોના મૃત્યું થયા છે.

એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી તરફ બે ભેંસોનું મૃત્યું પણ વિજળી પડવાથી થયું છે અને એક છપ્પર સળગી ગયું છે. વિજળીની ઝપેટમાં આવીને બન્ને જિલ્લાઓમાં કુલ 11 ઢોરો પણ કાળના મૂખમાં જતા રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X