Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024 lok sabha Election : અમિત શાહ કરશે 'મારો દેશ, મારા લોકો' પદયાત્રાનું ઉદ્ઘાટન

2024 lok sabha election: તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી દ્વારા 2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાજ્યમાં પોતાની છ મહિના લાંબી પદયાત્રા 'મારો દેશ, મારા લોકો' માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 28 જુલાઈની સાંજે રામેશ્વરમમાં તેને શરૂ કરાવશે અને યાત્રા બીજા દિવસે રવાના થશે. આ યાત્રા દરમિયાન ભાજપ નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ વડાપ્રધાન તરીકે સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક જનાદેશ માટે જનતાને અપીલ કરશે.

amit shah

ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ ગુરુવારના રોજ રાજ્યના 234 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી પદયાત્રાનું વિગતવાર વર્ણન આપ્યું હતું. અન્નામલાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ 39 સંસદીય મતવિસ્તારોને આવરી લેવા માટે અભિયાન પાંચ તબક્કામાં ચલાવવામાં આવશે.

લોકસભાની ચૂંટણી પહેલા 11 જાન્યુઆરી, 2024ના રોજ તેનું સમાપન કરવાનું આયોજન છે. અન્નામલાઈએ જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાનની ઉપલબ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરીશું અને ત્રીજી ટર્મ માટે સમર્થન માંગીશું. પ્રદેશ ભાજપ અધ્યક્ષના જણાવ્યા અનુસાર, મોદીના કાર્યોની ગણતરી કરવા માટે શું કર્યું મોદી ડુ નામની પુસ્તિકાની એક લાખ નકલો પણ વહેંચવામાં આવશે.

10 રેલીઓ થશે, કેન્દ્રીય મંત્રી લેશે ભાગ - પ્રદેશ ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના ઉદ્ઘાટન બાદ 29 જુલાઈના રોજ રામેશ્વરમથી આ અભિયાનની ઔપચારિક શરૂઆત થશે.

અન્નામલાઈ 1,770 કિમીથી વધુની યાત્રાનું નેતૃત્વ કરશે અને ગ્રામીણ વિસ્તારોમાં વાહન દ્વારા બાકીનું અંતર કાપશે. અન્નામલાઈએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન 10 મોટી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ઓછામાં ઓછા એક કેન્દ્રીય મંત્રી સંબોધિત કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X