RSS પર રાહુલ ગાંધીના તીખા પ્રહાર, કહ્યું- 21મીં સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે
રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે.
કુરૂક્ષેત્ર : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ દરમિયાન તેઓ સતત કેન્દ્ર સરકાર, બીજેપી અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ ફરીથી રાહુલ ગાંધીએ આએસએસ પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા આરએસએસની તુલના કૌરવો સાથે કરી છે.

રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિવસોમાં હરિયાણામાં છે. રાહુલ ગાંધીએ અહીં કુરૂક્ષેત્રથી આરએસએસ પર પ્રહારો કરતા કહ્યું કે, 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ ચલાવે છે. તેની પાછળ દેશના 2-3 અમીર લોકો ઉભા છે.
રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે. આ લોકોએ માતા સીતાને જય સિયા રામથી દૂર કર્યા. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંડવોએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. અમારી ભારત જોડો યાત્રામાં કોઈનો ધર્મ પૂછાયો નથી.
#WATCH | 'Kauravas' of the 21st century wear Khakhi half-pant and run 'shakhas'. Besides them stand the country's 2-3 richest people: Congress MP Rahul Gandhi in Haryana pic.twitter.com/F6mnYE1Yz6
— ANI (@ANI) January 9, 2023
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ દિવસોમાં હરિયાણામાં છે અને કાશ્મીર તરફ આગળ વધી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભારત જોડો યાત્રા બેરોજગારી-મોંઘવારી સાથે સમાજમાં ફેલાયેલા નફરત અને ભયના વિરોધમાં છે. તેમણે આગળ કહ્યું કે, અમે આને તપસ્યા તરીકે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસ તપસ્યામાં માને છે, જ્યારે ભાજપ પૂજાનું સંગઠન છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપ અને આરએસએસ તપસ્યાને માન આપતા નથી. તે ઈચ્છે છે કે જે તેની પૂજા કરે છે તેને જ સન્માન આપવામાં આવે. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, એક વાત હું સમજી ગયો છું કે આ લડાઈ વાસ્તવિકતામાં રાજકીય નથી, ઉપરછલ્લી રીતે આ એક રાજકીય લડાઈ છે. જ્યારે આપણે બીએસપી કે ટીઆરએસ સાથે લડીએ છીએ, તે રાજકીય લડાઈ છે. પરંતુ દેશમાં પરિવર્તન આવ્યું છે.
અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, જે દિવસે RSS એ આ દેશની સંસ્થાઓને નિયંત્રિત કરી, લડાઈ હવે રાજકીય રહી નથી. હવે આ એક અલગ યુદ્ધ છે. તમે તેને વિચારધારાની લડાઈ કહી શકો, ધર્મની લડાઈ કહી શકો અથવા તમે તેને કોઈ પણ રૂપ આપી શકો, પરંતુ તે કોઈ રાજકીય લડાઈ નથી.
તેમણે આગળ કહ્યું કે, જો તમે કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ જુઓ તો કાર્યકરોમાં એક ઉર્જા છે. તે તપસ્યાથી બનેલી સંસ્થા છે. આરએસએસ ઇચ્છે છે કે તેની જબરદસ્તીથી પૂજા કરવામાં આવે. પીએમ મોદી આ જ ઇચ્છે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
