RSS પર રાહુલ ગાંધીના તીખા પ્રહાર, કહ્યું- 21મીં સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે

રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે.

કુરૂક્ષેત્ર : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ દરમિયાન તેઓ સતત કેન્દ્ર સરકાર, બીજેપી અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ ફરીથી રાહુલ ગાંધીએ આએસએસ પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા આરએસએસની તુલના કૌરવો સાથે કરી છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિવસોમાં હરિયાણામાં છે. રાહુલ ગાંધીએ અહીં કુરૂક્ષેત્રથી આરએસએસ પર પ્રહારો કરતા કહ્યું કે, 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ ચલાવે છે. તેની પાછળ દેશના 2-3 અમીર લોકો ઉભા છે.

રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે. આ લોકોએ માતા સીતાને જય સિયા રામથી દૂર કર્યા. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંડવોએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. અમારી ભારત જોડો યાત્રામાં કોઈનો ધર્મ પૂછાયો નથી.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ દિવસોમાં હરિયાણામાં છે અને કાશ્મીર તરફ આગળ વધી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભારત જોડો યાત્રા બેરોજગારી-મોંઘવારી સાથે સમાજમાં ફેલાયેલા નફરત અને ભયના વિરોધમાં છે. તેમણે આગળ કહ્યું કે, અમે આને તપસ્યા તરીકે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસ તપસ્યામાં માને છે, જ્યારે ભાજપ પૂજાનું સંગઠન છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપ અને આરએસએસ તપસ્યાને માન આપતા નથી. તે ઈચ્છે છે કે જે તેની પૂજા કરે છે તેને જ સન્માન આપવામાં આવે. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, એક વાત હું સમજી ગયો છું કે આ લડાઈ વાસ્તવિકતામાં રાજકીય નથી, ઉપરછલ્લી રીતે આ એક રાજકીય લડાઈ છે. જ્યારે આપણે બીએસપી કે ટીઆરએસ સાથે લડીએ છીએ, તે રાજકીય લડાઈ છે. પરંતુ દેશમાં પરિવર્તન આવ્યું છે.

અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, જે દિવસે RSS એ આ દેશની સંસ્થાઓને નિયંત્રિત કરી, લડાઈ હવે રાજકીય રહી નથી. હવે આ એક અલગ યુદ્ધ છે. તમે તેને વિચારધારાની લડાઈ કહી શકો, ધર્મની લડાઈ કહી શકો અથવા તમે તેને કોઈ પણ રૂપ આપી શકો, પરંતુ તે કોઈ રાજકીય લડાઈ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો તમે કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ જુઓ તો કાર્યકરોમાં એક ઉર્જા છે. તે તપસ્યાથી બનેલી સંસ્થા છે. આરએસએસ ઇચ્છે છે કે તેની જબરદસ્તીથી પૂજા કરવામાં આવે. પીએમ મોદી આ જ ઇચ્છે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X