For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠક

નિઝામુદ્દીનમાં સ્થિત મરકજ ભવનના મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના ઝડપથી વધી રહેલા કેસોને રોકવા માટે કેનદ્ર અને રાજ્ય સરકારો પૂરી કોશિશમાં લાગેલી છે. વળી, દિલ્લીના નિઝામુદ્દીનમાં તબ્લીગ-એ-જમાતમાં ભાગ લેનારાઓના કારણે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. અહીંથી 860 લોકોને બહાર કાઢીને અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે 24 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

સ્ક્રીનિંગ ચાલી રહી છે

સ્ક્રીનિંગ ચાલી રહી છે

દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ, ‘અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ત્યાં 1500-1700ની આસપાસ લોકો છે. 1033 લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 334 લોકોને હોસ્પિટલ અને 700 આસપાસ લોકોને ક્વૉરંટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સ્ક્રીનિંગ ચાલી રહ્યુ છે. મરકજમાં રોકાયેલા 24 લોકો પૉઝિટીવ મળી આવ્યા છે.'

તેમણે બહુ મોટો ગુનો કર્યો છે

તેમણે બહુ મોટો ગુનો કર્યો છે

તેમણે આગળ કહ્યુ કે, ‘જે આયોજક છે તેમણે બહુ મોટો ગુનો કર્યો છે. આખા દેશ અને દિલ્લીન અંદર ઈમરજન્સી અને મહામારી રોગ એક્ટ લાગુ હતો. મે ખુદ લેફ્ટનન્ટ ગવર્નરને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે. દિલ્લી સરકારે આ લોકો સે એફઆઈઆર નોંધવાના નિર્દેશ આપ્યા છે.'

સીએમ આવાસ પર ઉચ્ચ-સ્તરીય બેઠક

સીએમ આવાસ પર ઉચ્ચ-સ્તરીય બેઠક

નિઝામુદ્દીનમાં સ્થિત મરકજ ભવનના મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, સઉદી અરબ અને કિર્ગિસ્તાન સહિત ઘણા દેશોના લગભગ 2500થી વધુ લોકોએ 1થી 15 માર્ચ સુધી તબ્લીગ-એ-જમાતમાં ભૈગ લીધો હતો.

1400 લોકો અહીં રોકાયા હતા

1400 લોકો અહીં રોકાયા હતા

માહિતી અનુસાર 1 માર્ચ અને 14 માર્ચ બાદ પણ અહીં 1400 લોકો રોકાયા હતા. ગયા સોમવારે નિઝામુદ્દીન સ્થિત મરકજમાં શામેલ થનારા છ લોકોની તેલંગાનામાં કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ. વળી, અંદમાનમાં 10 લોકોના રિપોર્ટમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ. આ 10માંથી 9 લોકો એ છે જે દિલ્લીની મરકજમાં શામેલ થયાહતા. 10મી સંક્રમિત મહિલા પણ આમાંથી એકની પત્ની છે જે દિલ્લીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં શામેલ થયા હતા.

આ પણ વાંચોઃ મરકજ પરિસરને બંધ કરવાની આપવામાં આવી હતી નોટિસઃ દિલ્લી પોલિસઆ પણ વાંચોઃ મરકજ પરિસરને બંધ કરવાની આપવામાં આવી હતી નોટિસઃ દિલ્લી પોલિસ

English summary
24 people who were present at the markaz building nizamuddin tested positive for coronavirus keriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X