કર્ણાટક કોંગ્રેસના 26 નેતાઓએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી, જાણો કેમ?
આવનારી 2024ની લોકસભા ચૂંટણી અને 2023માં થનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી સતત એક્શનમાં છે. આ ક્રમમાં જ આજે પાર્ટીના 26 મોટા નેતાઓએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન અને રાહુલ ગાંધી સાથે કર્ણાટક કોંગ્રેસના 26 મોટા નેતાઓની બેઠક યોજાઈ.

રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસને જે રીતે પ્રચંડ જીત મળી છે તેના માટે બંને નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા.
રણદીપ સુરજેવાલાએ આગળ જણાવ્યુ કે, એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી સંગઠનના વરિષ્ઠ નેતા અને એક મંત્રી સંસદીય સીટના પ્રભારી હશે. તે આગામી 6-7 મહિનાની લોકસભા ચૂંટણી સુધીની જવાબદારી સંભાળશે.
સુરજેવાલાએ જણાવ્યુ કે, 15-20 ઓગસ્ટની વચ્ચે લગભગ 1.30 કરોડ મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા દર મહિને 2000 રૂપિયા મળવાનું શરૂ થશે.
બીજી તરફ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ સલીમ અહેમદે જણાવ્યુ કે, અમે ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ. લોકોએ અમને મત આપ્યા.બીજેપીના 4 વર્ષના શાસન દરમિયાન તમામ સમુદાયોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
તેમણે કહ્યુ કે, અમે કહ્યું કે, જીવો અને જીવવા દો અને ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ. લોકોએ અમને રેકોર્ડ સંખ્યામાં બેઠકો આપી અને રાષ્ટ્રને સંદેશ આપ્યો, અમે તે સંદેશને આગળ લઈ જઈશું.
સલીમ અહેમદે જણાવ્યુ કે, લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી અને બધાએ પોતાના અભિપ્રાય આપ્યા. અમે માનીએ છીએ કે અમે આ કરીશું. આગામી લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં 20થી વધુ બેઠકો જીતશે.












Click it and Unblock the Notifications
