લદ્દાખમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી તીવ્રતા
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભૂકંપના ઝટક અનુભવાયા છે.
નવી દિલ્લીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભૂકંપના ઝટક અનુભવાયા છે. મંગળવારે રાતે 10 વાગે ભૂકંપના આ ઝટકા આવ્યા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. ભૂકંપથી જાનમાલનુ કોઈ પ્રકારના નુકશાનની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. દેશ અને દુનિયામાં છેલ્લા અમુક દિવસોથી સતત ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
એક દિવસ પહેલા સોમવારે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ અને બિહારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અંદમાન અને નિકોબારમાં સોમવારે સાંજે સાત વાગીને 23 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર અંદમાન-નિકોબારના પોર્ટબ્લેયર શહેથી 258 કિમી દક્ષિણ-પૂર્વમાં હતુ. વળી, બિહારની રાજધાની પટનામાં ભૂકંપ સોમવારે રાતે 9 વાગીને 23 મિનિટે ભૂકંપના આ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર નાલંદાથી 20 કિમી નૉર્થ-વેસ્ટ હતુ.
પટનામાં 3.5 તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા. આ પહેલા રાજધાની દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારત અને પાકિસ્તાન, તઝાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાજધાની દિલ્લી, એનસીઆર, નોઈડા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ, રાજસ્થાન અને આસપાસ ભૂકંપના ઝટકા શુક્રવારે રાતે અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ પહેલા 10 વાગીને 31 મિનિટે 6.3ની તીવ્રતાના ઝટકા આવ્યા. જેનુ કેન્દ્ર તજાકિસ્તાન હતુ. વળી, પંજાબના અમૃતસરમાં 10 વાગીને 34 મિનિટે આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધવામાં આવી.
દેશમાં કોરોનાના 11610 નવા દર્દી, 90 હજાર લોકોએ મૂકાવી રસી