દેશમાં એક દિવસમાં કોરોનાના 36594 નવા કેસ સામે આવ્યા, 540 દર્દીના મોત
દેશમાં એક દિવસમાં કોરોનાના 36594 નવા કેસ સામે આવ્યા, 540 દર્દીના મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો હજી પણ બનેલો છે. સ્વાસ્થ્ય અને મંત્રાલયના આંકડાઓ મુજબ એક દિવસમાં દેશમાં કોરોના વાયરસના 36594 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ કુલ મામલાની સંખ્યા 95,71,559 થઈ ગઈ છે. જ્યારે 540 દર્દીના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,39,188 થઈ ગઈ છે. હવે સક્રિય મામલા 4,16,082 છે. 42916 નવી રિકવરી બાદ ઠીક થનાર દર્દીની કુલ સંખ્યા 90,16,289 થઈ ગઈ છે.
ક્યાં કેટલા મામલા?
મિઝોરમમાં કોરોના વાયરસના 7 નવા મામલા સામે આવ્યા છે. હાલ કુલ મામલાની સંખ્યા 3888 થઈ ગઈ છે, જેમાં 235 સક્રિય મામલા, 3647 રિકવરી મામલા અને 6 મોત સામેલ છે. પશ્ચિમ બંગાળમાં 3246 નવા મામલા, 3257 રિકવરી અને 49 મોત નોંધાયા છે. હવે કુલ મામલા 4,93,316 થઈ ગયા છે, જેમાં 4,60,634 રિકવરી, 24,106 સક્રિય મામલા અને 8576 મોત સામેલ છે. મધ્ય પ્રદેશમાં 1450 નવા મામલા, 1569 રિકવરી અને 13 મોત નોંધાયાં છે. હવે કુલ મામલા 2,10,374 થઈ ગયા છે, જેમાં 1,93,187 રિકવરી, 13,887 સક્રિય મામલા અને 3300 મોત સામેલ છે.
વેક્સીન પર ચર્ચા કે ફરીથી લૉકડાઉન? PM મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
મહારાષ્ટ્રમાં 5182 નવા મામલા, 8066 રિકવરી અને 115 મોત નોંધાયેલા છે. અહીં કુલ મામલા 18,37,358 છે, જેમાં 17,03,274 રિકવરી, 47,472 મોત અને 85,538 સક્રિય મામલા છે. તમિલનાડુમાં એક દિવસમાં 1416 નવા મામલા, 14 મોત અને 1413 રિકવરી નોંધાયેલ છે. અહીં કુલ મામલા 7,86,163 થઈ ગયા, જેમાં 7,63,428 રિકવરી, 11,747 મોત અને 10,988 સક્રિય મામલા સામેલ છે.