For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહ, હરિયાણામાં ભૂકંપના ઝટકા અનુભવાયા

અંદમાન-નિકોબાર દ્વીપ પર આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપ રાતે લગભગ 2.2 મિનિટે આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અંદમાન-નિકોબાર દ્વીપ પર આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપ રાતે લગભગ 2.2 મિનિટે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.8 માપવામાં આવી છે. માહિતી અનુસાર આ ભૂકંપનુ કેન્દ્ર ઈન્ડોનેશિયાના સબાંગના ડબ્લ્યુએનડબ્લ્યુથી લગભગ 290 કિલોમીટર દૂર હતુ. પ્રારંભિક માહિતી મુજબ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. આજે સવારે હરિયાણાના દક્ષિણ-પૂર્વ રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

રોહતકમાં પણ ભૂકંપ

રોહતકમાં પણ ભૂકંપ

માહિતી અનુસાર રોહતકમાં પણ ભૂકંપના ઝટકા આજે સવારે 4.18 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 2.1 માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા દક્ષિણ-પૂર્વ રોહતકથી લગભગ 15 કિલોમીટર દૂર અનુભવાયા છે. આ પહેલા બુધવારે મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા બુધવારે દિવસે 11 વાગીને 51 મિનિટે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મુંબઈથી 103 કિમી ઉત્તરમાં હતુ.

દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા

દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા

હાલના દિવસોમાં દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. ગુજરાતના કચ્છમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભૂકંપ આવ્યો. કચ્છના ભૂજમાં મંગળવારે સવારે 10.49 મિનિટે 3.5ની તીવ્રતાના ભૂકંપા ઝટકા અનુભવાયા. ભૂૂકંપનુ એપીસેન્ટર ભચાઉથી 11 કિલોમીટર દૂર હતુ. સોમવાર અને રવિવારે પણ અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સોમવારે બપોરે લગભગ એક વાગે રાજકોટથી 83 કિલોમીટર દૂર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાતે લગભગ સાડા આઠ વાગ્યા સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ઝટકા અનુભવાયા હતા. કચ્છમાં રવિવારે રાતે 5.3ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.

કેમ આવે છે ભૂકંપ

કેમ આવે છે ભૂકંપ

ધરતીની અંદર જ્યારે પ્લેટ્સ અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઇ જગ્યાએ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેના કારણે ત્યાં ફૉલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખુણા ફેરવાય જાય છે, આ સપાટીના ખુણા પલટાતાં ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદરની એનરજી બહારનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને તેને આપણે ભૂકંપ માનીએ છીએ.

શું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યુંશું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું

English summary
4.8 magnitude earthquake in Andaman and Nicobar Islands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X