કલ્ચરલ વર્કિગ કમિટિની 4 દિવસીય બેઠક સમાપ્ત, CM યોગીએ બ્રિઝિલના મંત્રીને સોંપી અધ્યક્ષતા
G20 કલ્ચરલ વર્કિગ કમિટિની 4 દિવસીય બેઠકનું શનિવારના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હસ્તકળા સંકૂલ મોટા લાલપુરમાં આયોજીત બેઠકના અંતિમ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સુર વસુધામાં હાજર છે.
આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બ્રાઝિલને G20 ઓર્કેસ્ટ્રા બેટન પણ સોંપ્યું હતું. બ્રાઝિલ આગામી G-20 બેઠકનું નેતૃત્વ સંભાળશે. CM યોગીએ G-20 કલ્ચર વર્કિંગ ગ્રૂપના મહેમાનોના સન્માનમાં આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી, જેના માટે તેઓ શનિવારની સાંજે વારાણસી પહોંચ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાળ અને મીનાક્ષી લેખીની હાજરીમાં આગામી જી-20 બેઠકનું અધ્યક્ષપદ બ્રાઝિલના સંસ્કૃતિ મંત્રીના પ્રતિનિધિને સોંપ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સુર વસુધાના સંગીતકારને અંગવસ્ત્રમ અને માળાથી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં ભારતની પ્રાચીન પરંપરા વસુધૈવ કુટુંબકમની વિભાવના પર ભાર મૂકતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યની વિભાવના પર કાર્યક્રમો યોજીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ સુર વસુધામાં માત્ર G20 દેશોના પ્રતિનિધિઓ જ નહીં, પરંતુ આઠ આમંત્રિત દેશો (બાંગ્લાદેશ, મોરેશિયસ, નેધરલેન્ડ, ઓમાન, સિંગાપોર, સ્પેન, નાઈજીરિયા અને UAE) તેમજ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કલાકારો પણ સામેલ થયા હતા.
નોંધનીય છે કે, આ કાર્યક્રમ અગાઉ સાઉદી અરેબિયા, ઈટાલી અને ઈન્ડોનેશિયામાં યોજાઈ ચૂક્યો છે. ભારતને પ્રથમ વખત તેની અધ્યક્ષતા કરવાની તક મળી હતી.












Click it and Unblock the Notifications
