યુએઇમાં ગેરકાયદે રહેતા 45 હજાર ભારતીયો પરત ફરશેઃ રવિ

રવિએ પોતાના પત્રમાં કહ્યું છે,' 2007માં જાહેર કરવામાં આવેલી સર્વસાધારણ માફીમાં અંદાજે 40 હજાર લોકો યુએઇથી ભારત આવ્યા હતા. અમારા મિશનના એસ્ટિમેટના આધારે અંદાજે 45 હજાર ભારતીયો યુએઇમાં ગેરકાયદે રીતે રહી રહ્યાં છે જે સર્વસાધારાણ માફીની રાહ જોઇ રહ્યાં હતા.' યુએઇમાં જે લોકો રહે છે, તેમાં મોટાભાગના લોકો ગરીબ અને ઓછુ કમાતા કામદારો છે જે પોતાની એર ટિકિટની વ્યવસ્થા કરી શકે તેમ નથી અને ભારતીય કોમ્યુનિટી વેલ્ફેર ફંડ કે જેની રચના મંત્રાલય દ્વારા કરવામાં આવી છે તે આ માંગને પહોંચી વળે તેમ નથી, તેમ મંત્રીએ કહ્યું છે.
' હું તમામ મુખ્યમંત્રીઓને રજૂઆત કરુ છું કે તેઓ તેમના રાજ્યના જરૂરિયાતમંદ લોકો કે જે માફી યોજના હેઠળ યુએઇ છોડીને પરત ફરી રહ્યાં છે તેમને મફતમાં એર ટિકિટ્સ આપે. હું તમારી પાસેથી સમાનાધિકૃત પ્રતિક્રિયાની આશા સેવી રહ્યો છું.' તેવી રજૂઆત મંત્રીએ પોતાના પત્રમાં કરી છે.
યુએઇ સરકારના જણાવ્યા પ્રમાણે માફી યોજના જે લોકો ગેરકાયદે રીતે રહી રહ્યાં છે તે કોઇપણ જાતના દંડ વગર દેશ છોડી શકે છે અથવા તો તેઓ પોતાના વિઝાને કાયમી કરાવ્યા પછી દંડ ભરીને રહી શકે છે, આ પ્રક્રિયા ડિસેમ્બર 4થી ફેબ્રુઆરી 3 દરમિયાન કરવાની રહેશે.












Click it and Unblock the Notifications
