4th Wave of Corona : જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ચોથ લહેર, જાણો પરિસ્થિતિનું સમગ્ર વિશ્લેષણ

ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો, ભારતમાં હાલ પરિસ્થિતિ એકદમ કાબૂમાં હોય તેવું જણાઇ રહ્યું છે, સંક્રમિત લોકોની દૈનિક સંખ્યા હાલમાં એકદમ નિયંત્રિત છે. છેલ્લા 24 કલાકમાં 243 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

4th Wave of Corona : ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણ કહેર મચાવી રહ્યું છે. આવામાં નિષ્ણાતો દ્વારા ઓમિક્રોનના BF.7 વેરિએન્ટને મુખ્ય કારણે માનવામાં આવે છે. જેની ગંભીરતાને ઓછી છે, પણ સંક્રામકતાને કારણે લોકોની ચિંતા વધી રહી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો, ભારતમાં હાલ પરિસ્થિતિ એકદમ કાબૂમાં હોય તેવું જણાઇ રહ્યું છે, સંક્રમિત લોકોની દૈનિક સંખ્યા હાલમાં એકદમ નિયંત્રિત છે. છેલ્લા 24 કલાકમાં 243 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

વૈશ્વિક ખતરાને ધ્યાનમાં રાખીને, લોકોને કોવિડ યોગ્ય વર્તનને અનુસરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલો અનુસાર, નિષ્ણાતોએ લોકોને આગામી દોઢ મહિના સુધી વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

સરકારી અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, આગામી 40 દિવસમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણ રોકવા માટે તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું છે. આ સાથે રસીકરણ વધારવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

covid

આવી સ્થિતિમાં હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું દેશમાં કોરોનાની ચોથી લહેર જાન્યુઆરી મહિનામાં આવી શકે છે? કેટલીક પરિસ્થિતિઓ આ જોખમને વધારી શકે છે.

ભૂતકાળમાં આવેલી કોરોના લહેરોનું મૂલ્યાંકન

ભૂતકાળમાં આવેલી કોરોના લહેરોનું મૂલ્યાંકન

એક અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષના અનુભવનું મૂલ્યાંકન કરીએ, તો એવુંમાની શકાય છે કે, આગામી દોઢ મહિના માટે આપણે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

ભૂતકાળમાં જ્યારે પણ વૈશ્વિક સ્તરે કોરોનાના કેસવધ્યા છે, ત્યારે ભારતમાં પણ તેની અસર એકથી દોઢ મહિના બાદ જોવા મળી છે.

જૂના અનુભવોના આધારે નિષ્ણાતોને આશંકા છે કે, જાન્યુઆરીમાં દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. જોકે, તેની ગંભીરતા ઓછીહોવાની ધારણા છે, પરંતુ આ જોખમોને ધ્યાનમાં રાખીને આપણે હવે સાવધાની રાખવાની જરૂર છે.

જો તમે કોરોનાની ભૂતકાળની પેટર્ન પર નજર કરશો, તો તે ચોક્કસપણે ડરાવની હોય શકે છે, આ સિવાય કેટલીક પરિસ્થિતિઓ છે, જેચેતવણી આપે છે.

કોરોના સંક્રમણની પેટર્નને સમજો

કોરોના સંક્રમણની પેટર્નને સમજો

વર્ષ 2019 ના અંતમાં પ્રથમ વખત, જો આપણે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીની પેટર્ન પર નજર કરીએ, તો તે સ્પષ્ટ છે કે, શિયાળાનીઋતુમાં કોરોના સંક્રમણ વધ્યો છે.

ડેલ્ટા વેરિએન્ટને કારણે દેશમાં બીજી લહેર ફેબ્રુઆરીથી શરૂ થઈ અને માર્ચ-એપ્રીલ 2021માં આવી હતી. જેબાદ વર્ષ 2022 માં સંક્રમણની ત્રીજી લહેર જોવા મળી હતી, જેની અસર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વધુ જોવા મળી હતી.

અભ્યાસો એ પણપુષ્ટિ કરે છે કે, ઠંડીની સ્થિતિમાં વાયરસના વિકાસમાં મદદ મળે છે.

શિયાળામાં કોરોનાનું જોખમ

શિયાળામાં કોરોનાનું જોખમ

હવામાન આધારિત કોરોનાવાયરસના સંક્રમણ અંગે નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનામાઇક્રોબાયોલોજિસ્ટ ડેવિડ રેલમેન કહે છે કે, શિયાળાની ઋતુમાં કોરોના વધુ સંક્રમક હોવાના કિસ્સાઓ જોવા મળ્યા છે.

શિયાળાની ઋતુમાંઇન્ફલ્યુએન્ઝા જેવા શ્વસન સંક્રમણનું કારણ બને છે, તે પ્રકારોની સંક્રમણ પ્રકૃતિ બદલાય છે.

પ્રયોગશાળાના અભ્યાસો સૂચવે છે કે,SARS-CoV-2 વાયરસ ઠંડા અને સૂકી સ્થિતિમાં પણ વધુ સંક્રમણનું કારણ બની શકે છે.

નબળું વેન્ટિલેશન અને તાપમાન

નબળું વેન્ટિલેશન અને તાપમાન

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ગણિતશાસ્ત્રી મોરિસિયો સેન્ટિલાના કહે છે કે, ઠંડીના દિવસોમાં લોકો ઓછા બહાર જાય છે. ઘરો અને ઓફિસોમાં, લોકોલાંબા સમય સુધી એકબીજા સાથે વધુ ગાઢ સંપર્ક ધરાવે છે.

નબળા વેન્ટિલેશનવાળા સ્થળોએ ટ્રાન્સમિશનનું જોખમ વધું રહે છે. જેનેશિયાળામાં કોરોનાના વધારાના પરિબળ તરીકે પણ જોઈ શકાય છે.

આ પ્રકારનું વાતાવરણ વાયરસને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે, આ સિવાય શિયાળાની ઋતુમાં તાપમાનનો અભાવ પણ વાયરસ માટેઅનુકૂળ સ્થિતિ છે.

વિદેશથી આવનારાઓનું ધ્યાન રાખવું જરૂરી છે

વિદેશથી આવનારાઓનું ધ્યાન રાખવું જરૂરી છે

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ચીન-જાપાન જેવા પ્રભાવિત દેશોમાંથી ભારત આવતા લોકો પર પણ સંક્રમણ વધવાનું જોખમ હોય શકે છે.

કોરોના સંક્રમિતોની સારવાર કરતા સઘન સંભાળના ડૉક્ટર નીરજ અસ્થાના જણાવે છે કે, ગત વર્ષોની પેટર્નની ધ્યાનમાં રાખીને પણ

સંક્રમણ વધવાનું જોખમ ગણી શકાય.

આવા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2023 થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને

થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મુસાફરી પહેલા તમારો રિપોર્ટ એર સુવિધા

પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

ભારતમાં કોરોનાથી ગભરાવાની જરૂર નથી

ભારતમાં કોરોનાથી ગભરાવાની જરૂર નથી

ડૉ. નીરજ અસ્થાના જણાવે છે કે, કુદરતી સંક્રમણ અને રસીકરણ દ્વારા ભારતે વિકસાવેલી હર્ડ ઇમ્યુનિટીને કારણે, સંક્રમણ વધવાના કિસ્સામાંપણ અગાઉના લહેર જેવા ગંભીર રોગોનું જોખમ નથી.

અમે ખૂબ જ સુરક્ષિત દેશોમાંના એક છીએ અને સુરક્ષિત રહેવા માટે જે લોકો પાત્રતાધરાવતા હોય, તેઓએ શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લેઇ લેવો જોઈએ.

BF.7 જેવા નવા વેરિએન્ટની પ્રકૃતિ ગંભીર નથી અને તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ યોગ્ય વર્તણૂક અપનાવીને, આપણે આખતરાને પણ સરળતાથી સામનો કરી શકીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X