ફટાકડાની દુકાનમાં આગ લાગી, 5 લોકોના મોત
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી : તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે આગનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઈમરજન્સી વોર્ડમાં દાખલ ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ દિવાળીના કારણે શંકરપુરમ શહેરમાં આવેલી દુકાનમાં ફટાકડાનો મોટો સ્ટોક હતો. મંગળવારના રોજ અચાનક દુકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, આ અંગે લોકો કંઈ સમજે તે પહેલા જ દુકાન આગના લપેટામાં આવી ગઈ હતી. તાત્કાલિક પહોંચેલા ફાયર બ્રિગેડના વાહનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જિલ્લા કલેક્ટર પીએન શ્રીધરે આ અંગે માહિતી આપી છે. શ્રીધરે જણાવ્યું હતું કે, ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે એક ટીમ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે.
આ પહેલા 16 લોકોના મોત થયા હતા
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુના વિરુધુનગરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 16 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પણ શામેલ છે. નિષ્ણાતોના મતે ફટાકડાની ફેક્ટરીઓ અને દુકાનોમાં ઘણો દારૂગોળો હોય છે, પરંતુ પૈસા બચાવવા માટે તેના સંચાલકો ઈમરજન્સી માટે જરૂરી વસ્તુઓ રાખતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
