મુંડનના પ્રસંગમાં જતા 50 લોકો તળાવમાં ડૂબ્યા, ચારના મોત
લખનઉના ઇટૌંજાના અસનાહા ગદ્દીપુરવામાં એક ઝડપી ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. અકસ્માતમાં મુંડનના પ્રસંગે જતા 50 લોકો સહિત ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં તમામ લોકો ડૂબી ગયા હતા.
લખનઉના ઇટૌંજાના અસનાહા ગદ્દીપુરવામાં એક ઝડપી ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. અકસ્માતમાં મુંડનના પ્રસંગે જતા 50 લોકો સહિત ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં તમામ લોકો ડૂબી ગયા હતા. ગોતાખોરો અને સ્થાનિક લોકોની મદદથી પોલીસે 35 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આવા સમયે ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે અન્ય લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે.
મુંડનના પ્રસંગમાં જઇ રહ્યો હતો પરિવાર
સીતાપુરના અટારિયાના ટીકૌલી ગામના ચુનીલાલ ઉર્ફે ચુન્નનના પુત્રની મુંડનની વિધિ કરવાની હતી. નવરાત્રીના પ્રથમ દિવસે ઈટૌંજા સ્થિત ઉનાઈ દેવી મંદિરમાં મુંડન કરાવવાનું હતું. આ માટે આખો પરિવાર સંબંધીઓ અને પરિચિતો સાથે ટ્રેક્ટર-ટ્રોલીમાં મંદિરે જઈ રહ્યો હતો.
ટ્રેક્ટર-ટ્રોલી સીધી રોડની બાજુમાં આવેલા તળાવમાં પડી
ટ્રેક્ટર-ટ્રોલી સવારે 10 કલાકે અસ્નાહાના ગદ્દીપુરવા ગામ પાસે પહોંચી હતી. આ દરમિયાન બેહટા બાજુથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકેટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર-ટ્રોલી સીધી રોડની બાજુમાં આવેલા મોટા તળાવમાં પડી હતી.
આ ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા
મૃતકોમાં ટિકૌલી ગામની સુખરાની (45), સુષ્મા મૌર્ય (52), રૂચી મૌર્ય (18) અને કોમલ (38)નો સમાવેશ થાય છે. પોલીસે આ ચારેયનામૃતદેહને સીએચસીમાં મોકલી આપ્યા છે. આ સાથે એકને ટ્રોમા માટે રિફર કરવામાં આવ્યો છે.