લીબિયામાં 500 ભારતીય નર્સો મુશ્કેલીમાં, સરકાર લાગી ધંધે
નવી દિલ્હી, 29 જુલાઇ: હિંસા અને સંઘર્ષથી ગ્રસ્ત લીબિયામાં હાલ 500 ભારતીય નર્સો મુશ્કેલીમાં ફસાયેલ છે. લીબિયામાં હાલ છેડાયેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિક ફસાઇ ગયા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે સરકાર નર્સોને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ત્યાં ફસાયેલી ભારતી નર્સો પોતાના દેશ પરત ફરવા માંગે છે. ત્રિપોલીના હોસ્પિટલમાં જ લગભગ 350 નર્સો કાર્ય કરી રહી છે. તો બીજી તરફ, ભારતીય દૂતાવાસે નાગરિકો પાસે લીબિયાની યાત્રા ન કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જ્યારે કેરલે કેન્દ્ર સરકાર પાસે સંઘર્ષ પ્રભાવિત લીબિયાના હોસ્પિટલોમાં કામ કરી રહેલી ભારતીય નર્સોને પરત લાવવા માટે એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયના એક પ્રવક્તાના અનુસાર વિદેશ મંત્રાલયે મુખ્યમંત્રી ઓમન ચાંડીને સૂચિત કર્યા છે કે લીબિયાથી નર્સોને રોડ માર્ગે ટ્યૂનીશિયા લાવવા અને ત્યાંથી તેમને વિમાન દ્વારા ભારત પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. તેમાં મોટાભાગની નર્સો ત્રિપોલી અને બેનગાજીમાં કામ કરી રહી છે અને તેમને આગમન પર વિઝા સુવિધાની મદદથી ટ્યૂનીશિયા લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એકવાર મુદ્દાની સમસ્યા નિકળ્યા બાદ નર્સોને પરત લાવી શકાય.

જો વિશે વિમાનની વ્યવસ્થા કરવામાં આવે છે તો ઓછામાં ઓછા 100 લોકો પરત લાવવામાં આવશે. રાજ્ય સરકાર તે લોકોની યાદી તૈયાર કરી રહી છે જેમને પહેલાં જત્થામાં સામેલ કરવામાં આવશે. આ નર્સોના વાલીઓમાંથી મોટાભાગના કોટ્ટાયમ અને આસપાસના જિલ્લાના છે. આલોકો નર્સોની હિંસાગ્રસ્ત વિસ્તારોથી સુરક્ષિત વાપસીમાં વિલંબને લઇને ચિતિંત છે.
મોટાભાગની નર્સો ત્રિપોલી અને લીબિયાના અન્ય મોટા શહેરોના હોસ્પિટલોમાં કામ કરવા માટે ગઇ છે. પ્રવક્તા અનુસાર વાલીઓનું કહેવું છે કે ગત કેટલાક સપ્તાહથી તે તેમની (નર્સોની) સુરક્ષાને લઇને ચિતિંત છે. આ ઉપરાંત કેટલાક નર્સોના વિઝા પણ સમાપ્ત થવાના છે અને તેમને ઘણા મહિનાથી વેતન પણ મળ્યું નથી. આ મુદ્દાની ગંભીરતા જોતાં ચાંડીએ ગત અઠવાડિયે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના સમક્ષ આને ઉઠાવ્યો હતો. ત્રિપોલીમાં ભારતના મિશનને ગઇકાલે પોતાના નાગરિકોને હિંસાગ્રસ્ત દેશમાંથી કોઇપણ રીતે નિકાળવાની અને ત્યાંથી પરત લાવવાની સલાહ આપી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
