'એ મેરે વતન કે લોગો..'ના 51 વર્ષ પૂરા, લતા અને મોદી ફરી એક મંચ પર
મુંબઇ, 27 જાન્યુઆરી: જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો...'ની સુવર્ણ જયંતી વર્ષને યાદગાર બનાવવા માટે સોમવારે મુંબઇમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર ફરી એકવાર સાથે દેખાશે. આશા સેવાઇ રહી છે કે આ અવસરે લતાતાઇ મોદીની હાજરીમાં જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો' પણ ગાશે.
આજે લગભગ એક લાખ લોકો એક સાથે આ ગીતને ગાઇને આ ગીતની સુવર્ણ જયંતી મનાવશે. આ અવસરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લતા મંગેશકરને સન્માનિત કરશે. મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજિત યોજાનાર કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે..
આ અવસરે લતા મંગેશકરની સાથે યુદ્ધના નાયકો અને તેમનમા પરિવારના લોકોને સન્માનિત કરવામાં આવશે. લતાએ 27 જાન્યુઆરી, 1963ના રોજ પહેલી વાર એ મેરે વતન કે લોગો... ગાવામાં આવ્યું હતું, તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ સહિત ઘણા લોકોની આંખો નમ થઇ ગઇ હતી.

આ ગીત ત્યારે જાણીતુ બન્યુ જ્યારે લતા મંગેશકરે આને નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે રામલીલા મેદાનમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઉપસ્થિતિમાં ગાવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
