દહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત
દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે.
દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે. મહિલાનું મૃત્યુ દહેરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં થયુ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃધ્ધ મહિલાનું નામ સુધા મિશ્રા હતુ. જે યોગ કરવા દરમિયાન કાર્યક્રમ સ્થળ પર જ બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ.

એસપી પ્રદીપ રાયે જણાવ્યુ કે કાર્યક્રમ સ્થળ પર મેડીકલ કેમ્પ અને એમ્બ્યુલન્સની સુવિધા હતી. મહિલા બેભાન થયા બાદ તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ. મોતનું કારણ માત્ર ડૉક્ટર જ જણાવી શકે છે. નોંધનીય છે કે પીએમ મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગ કર્યા હતા. જ્યાં આ મહિલા હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ ક યોગ લોકોને જુદા પાડવાની જગ્યાએ જોડવાનું કામ કરે છે.
તમને જણાવી દઈએ કે 21 જૂનના રોજ મોદી સરકારનો ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો. ભારતમાં જ માત્ર દરેક જગ્યાઓ નહિ પરંતુ દુનિયાભરમાં લોકોએ યોગ દ્વારા પોતાને સ્વસ્થ રાખવાનો સંકલ્પ કર્યો. પીએમ મોદીના કાર્યક્રમમાં કુલ 50000 લોકો એકઠા થયા હતા. પીએમના કાર્યક્રમ સાથે જ દેશભરમાં યોગની ઉજવણી શરૂ થઈ અને તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રીઓએ યોગ કર્યા.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
