શ્રીનગરમાં અથડામણ જારી, 8 પોલીસ જવાનો ઘવાયા

shrinagar
શ્રીનગર, 3 ઓક્ટોબર: શ્રીનગરના બહારના વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓની વચ્ચે બુધવારે આખી રાત ચાલેલી અથડામણમાં આઠ જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર શહેરના મધ્યમાં આવેલા લાલ ચોકથી 10 કિલોમીટર દૂર અહમદનગર વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષાકર્મીઓની વચ્ચે અથડામણમાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'જ્યારે અમે અહમદ નગરના એક ઘરમાં તેને ઘેરી લીધે અને તેને આત્મસમર્પણ કરવાની માંગ કરી તો પાછળ છૂપાયેલા આતંકવાદીઓએ તેમની પર ગ્રેનેડ ફેંક્યા અને ઓટોમેટિક રાઇફલથી ગોળીબાર કર્યો.' પોલીસકર્મીઓને ગોળીબારીની વચ્ચે સ્થાનીક લોકોને ઘાયલ થવાથી બચાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું કે અભિયાનની શરૂઆત પહેલા આતંકવાદીઓએ જે ઘરમાં શરણ લીધી હતી, તેના આસપાસના ઘરોને સુરક્ષીત ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. આખી રાત થોડી-થોડીવાર ગોળીબાર ચાલતો રહ્યો પરંતુ ગુરુવારે સવારથી જ વિસ્તારમાં ગોળીબારનો કોઇ અવાજ નથી સંભળાયો. અધિકારીએ જણાવ્યું કે 'હવે અમે આખા વિસ્તારની તપાસ કરી રહ્યા છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X