For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં અથડામણ જારી, 8 પોલીસ જવાનો ઘવાયા

|
Google Oneindia Gujarati News

shrinagar
શ્રીનગર, 3 ઓક્ટોબર: શ્રીનગરના બહારના વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓની વચ્ચે બુધવારે આખી રાત ચાલેલી અથડામણમાં આઠ જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર શહેરના મધ્યમાં આવેલા લાલ ચોકથી 10 કિલોમીટર દૂર અહમદનગર વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષાકર્મીઓની વચ્ચે અથડામણમાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'જ્યારે અમે અહમદ નગરના એક ઘરમાં તેને ઘેરી લીધે અને તેને આત્મસમર્પણ કરવાની માંગ કરી તો પાછળ છૂપાયેલા આતંકવાદીઓએ તેમની પર ગ્રેનેડ ફેંક્યા અને ઓટોમેટિક રાઇફલથી ગોળીબાર કર્યો.' પોલીસકર્મીઓને ગોળીબારીની વચ્ચે સ્થાનીક લોકોને ઘાયલ થવાથી બચાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું કે અભિયાનની શરૂઆત પહેલા આતંકવાદીઓએ જે ઘરમાં શરણ લીધી હતી, તેના આસપાસના ઘરોને સુરક્ષીત ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. આખી રાત થોડી-થોડીવાર ગોળીબાર ચાલતો રહ્યો પરંતુ ગુરુવારે સવારથી જ વિસ્તારમાં ગોળીબારનો કોઇ અવાજ નથી સંભળાયો. અધિકારીએ જણાવ્યું કે 'હવે અમે આખા વિસ્તારની તપાસ કરી રહ્યા છે.'

English summary
policemen were injured today in an encounter with militants in Soura area of the city, police sources said. The gunbattle broke out in Ahmadnagar locality of Soura this evening when police cordoned off the area following information about the presence of militants there, the sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X