85 Mann ki Baat : PM મોદી આજે 11 નહીં પરંતુ 11.30 કલાકે કરશે 'મન કી બાત', જાણો કારણ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા વર્ષ 2022માં પ્રથમ વખત દેશવાસીઓને સંબોધિત કરશે. આજે આ રેડિયો કાર્યક્રમ 11 કલાકેને બદલે અડધો કલાક મોડો એટલે કે, સવારે 11.30 કલાકે પ્રસારિત થશે.
નવી દિલ્હી, 30 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા વર્ષ 2022માં પ્રથમ વખત દેશવાસીઓને સંબોધિત કરશે. આજે આ રેડિયો કાર્યક્રમ 11 કલાકેને બદલે અડધો કલાક મોડો એટલે કે, સવારે 11.30 કલાકે પ્રસારિત થશે. કારણ કે, આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે, તેથી આજે વડાપ્રધાન બાપુને તેમની પુણ્યતિથિ પર સૌથી પહેલા યાદ કરશે, ત્યારબાદ જ તેઓ 'મન કી બાત' કરશે.
આજે 85 વાર 'મન કી બાત' કરશે મોદી
આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે 'મન કી બાત' 11.30 કલાકે ટેલિકાસ્ટ થશે. આ કાર્યક્રમનું ટીવી, ફેસબુક, ટ્વિટર પેજ, યુટ્યુબ અને મોબાઈલ એપ પર પણ જીવંતપ્રસારણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજે 'મન કી બાત'ની 85મી આવૃત્તિ છે. તે ઉલ્લેખીય છે કે, આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાંઆવે છે.
ઓમિક્રોનથી લઈને દેશના અમૃત ઉત્સવ સુધી
તેમના છેલ્લા 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશના અમૃત ઉત્સવથી લઇને ઓમિક્રોન વાયરસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસછે કે , આવનારા વર્ષમાં દેશ આગળ વધશે અને 2022 નવા ભારતના નિર્માણનું સુવર્ણ પાનું હશે.
આપણાં સપનાં એવાં હશે કે, જેમાં આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલો હશે, આપણે મોટું વિચારીશું, મોટાં સપનાં જોઈશું અને તેને સાકાર કરવા માટે સખતમહેનત કરીશું. કારણ કે, આપણે દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવાનો છે, તેથી આપણે લઈ જવાનું છે.
આપણાં તમામ સંસાધનો આપણે આપણાંસંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, જ્યારે આપણે આપણાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું, તો જ હું સ્થાનિકની શક્તિને ઓળખી શકીશ અને આપણેઆત્મનિર્ભર બનીશું.
જરૂરી નથી કે બહાદુરી માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે
ઉલ્લેખીય છે કે, જરૂરી નથી કે બહાદુરી માત્ર યુદ્ધના મેદાનમાં જ બતાવવામાં આવે. જ્યારે બહાદુરીનો વિસ્તાર થાય છે, ત્યારે દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગેછે.
આપણા દેશમાં અનેક રાજ્યો એવા છે કે, જ્યાં લોકોએ પોતાના કુદરતી વારસાના રંગોને સાચવીને રાખ્યા છે. આઝાદીનો અમૃત ઉત્સવ દેશ માટે કંઈક કરવાની અનેકળા, સંસ્કૃતિ, ગીત-સંગીતના રંગો ભવરવા સાથે અમૃતમહોત્સવ અવશ્ય ઉજવાય તેની પ્રેરણા આપે છે.