વાયરલ પુસ્તકનો દાવો- 12 વર્ષ પહેલા જ થઈ ગઈ હતી ઘાતક કોરોના વાયરસની ભવિષ્યવાણી, શું છે સચ્ચાઈ?
વાયરલ પુસ્તકનો દાવો- 12 વર્ષ પહેલા જ થઈ ગઈ હતી ઘાતક કોરોના વાયરસની ભવિષ્યવાણી, શું છે સચ્ચાઈ?
નવી દિલ્હીઃ ચીન બાદ દુનિયાભરમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસે હવે ભારતમાં પણ સનસની મચાવી છે, દિલ્હી-એનસીઆરમાં નવા મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર અને દિલ્હી સરકારની હરકત તેજ થઈ ગઈ છે. કુલ 28 મામલા પૉજિટિવ આવ્યા છે, જો કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચિંતા કરવાની જરૂરત નથી પરંતુ સાવધાન રહેવાની જરૂરત છે, કેમ કે આ વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
'એંડ ઑફ ડેજઃ પ્રીડિક્શન એન્ડ પ્રોફેસીજ અબાઉટ ધી એન્ડ ઑફ વર્લ્ડ'
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પુસ્તક વાયરલ થઈ રહ્યું છે, જેમાં કોરોના વાયરસને લઈ 12 વર્ષ પહેલા જ દાવો કરવામાં આવી ચૂક્યો છે, આ પુસ્તકનું નામ 'એંડ ઑફ ડેજઃ પ્રીડિક્શન એન્ડ પ્રોફેસીજ અબાઉટ ધી એન્ડ ઑફ વર્લ્ડ' છે, જેના લેખક સિલ્વિયા બ્રાઉન છે, જણાવી દઈએ કે આ પુસ્તક 2008માં પબ્લિશ થયું હતું.
પુસ્તકમાં ઘાતક બીમારીનો ઉલ્લેખ
જો કે પુસ્તકમાં જે વાયરલનો ઉલ્લેખ થયો, તેનું નામ કોરોના નથી, બલકે પુ્તકમાં એમ લખ્યું કે વર્ષ 2020ની આસપાસ ગંભીર નિમોનિયા જેવી બીમારી દુનિયાભરમાં તહેલકો મચાવશે અને આ ઘણા લોકો માટે જીવલેણ સિદ્ધ થે, આ બીમારી ઘાતક હશે જે ફેફડા અને બ્રોન્કિયલ નળીઓ પર સીધો પ્રભાવ કરે, પુસ્તકમાં જે બીમારીનો ઉલ્લેખ છે તેના લક્ષણ સંપૂર્ણપણે કોરોનાને મળતા આવે છે માટે કહેવાઈ રહ્યું છે કે આજથી 12 વર્ષ પહેલા જ આ વાયરસ વિષે ભવિષ્યવાણી થઈ ગઈ હતી.
જલદી જ ગાયબ થઈ જે કોરોના વાયરસ
પરંતુ આ પુસ્તકમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જેટલી તેજીથી આ બીમારી ફેલાશે તેટલી જ તેજીથી તે અચાનક ગાયબ પણ થઈ જશે માટે એ વાતની ઉમ્મીદ જતાવાઈ શકે કે કોરોના વાયરસનો ખાતમો પણ જલદી જ થઈ જશે.
કેટલીક ખાસ વાતો
- કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે 20 સેકન્ડ ુધી હાથ ધોવ.
- હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનેટાઈજરનો ઉપયોગ કરવામાં આવી કે છે.
- આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
- ભીડવાળા વિસ્તારમાં જવાથી બચો.
- જે લોકોને ઉધર અને તાવ થયો હોય તેમના સંપર્કમાં ના આવો.
- તમારું નાક-મોઢું અને આંખોને વારંવાર અડો નહિ.
- જો તમને ઉધરસ, તાવ થયો તો તરત ડૉક્ટરને બતાવો.
- ખાંતી અને છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશૂ પેપર રાખી લો.
કોરોનાનો કહેરઃ અત્યાર સુધીમાં 29 લોકો સંક્રમિત, પીએમ મોદીએ કમાન સંભાળી