કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત નથીઃ SC
આધાર કાર્ડ ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી કરતાં કહ્યું કે, સરકાર પોતાની કોઇ પણ કલ્યાણકારી યોજના માટે આધાર કાર્ડ ફરજિયાત ન બનાવી શકે.
કેન્દ્ર સરકાર તરફથી અવાર-નવાર જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાની જાહેરાતો થઇ રહી છે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠરાવ્યો છે. આધાર કાર્ડ ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંગે સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર પોતાની કોઇ પણ કલ્યાણકારી યોજનાનો લાભ આપવા માટે આધાર કાર્ડને ફરજિયાત ન બનાવી શકે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, બેંક ખાતા ખોલવા જેવી યોજનાઓમાં આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરતા સરકારને રોકી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બિન-લાભકારક યોજનાઓ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય. ઇન્કમ ટેક્સ એક બિન-લાભકારક યોજના છે, જેમાં સરકારને આધાર કાર્ડ ફરજિયાત કરતા રોકી ન શકાય.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર ઘણી કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી ચૂકી છે. સરકારી શાળાઓમાં મિડ ડે મીલ માટે પણ આધાર કાર્ડ અનિવાર્ય હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે પછીથી આ નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો.
આ સિવાય પછાત વર્ગ અને વિકલાંગોને સ્કોલરશિપ આપવા માટે, એલપીજી અને ખાદ્ય પદાર્થો પર સબસિડી આપવા તથા ઉજ્જવલા યોજનાનો લાભ લેવા જેવી યોજનાઓ માટે સરકારે આધાર કાર્ડ ફરજિયાત હોવાની જાહેરાત કરી હતી. સરકાર તરફથી લગભગ તમામ કલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
