સાંસદ રાઘવ ચડ્ડાનું સસ્પેન્શન 115 દિવસ પછી પરત ખેંચાયું
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સ્પેન્સન પરત લેવામાં આવ્યા છે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે 11 ઓગસ્ટના આદેશ પરત લેતા સમયે રાજ્યસભામાં તેમના પ્રવેશને માન્ય રાખી હતી.
આના પર AAP નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ સુપ્રીમ કોર્ટ અને અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માન્યો છે. AAP નેતા ચડ્ડાએ આના પર ખુશી વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરી હતી. રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, હું કોર્ટનો આભારી છું કે, તેમણે આ બાબતને ધ્યાનમાં લીધી છે.

સંસદમાં સોમવારથી શિયાળુ સત્ર શરૂ થયું હતું. આ રાજ્યસભામાં ચડ્ડાનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ મામલે આજે રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રાજ્યસભાના અધ્યક્ષે ચડ્ડાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભા અધ્યક્ષના નિર્ણય પર આમ આદમી પાર્ટી સહિત ઘણા નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે.
સસ્પેન્શન પુનઃસ્થાપિત કરવા પર, રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, મને 11 ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન પાછું ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી અને હવે 115 દિવસ પછી, મારું સસ્પેન્શન પાછી ખેંચી લેવામાં આવી છે. મને ખુશી છે કે, મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, અને હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું.
રાઘવ ચઢ્ઢાને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા? - ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રજૂ કર્યો હતો. વાસ્તવમાં, આ વર્ષે દિલ્હી સેવા બિલ સંબંધિત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, તેમના પર પાંચ સાંસદોની નકલી સહી કરવાનો આરોપ લાગ્યો હતો. આ યાદીમાં રાઘવ ચડ્ઢાનું નામ પણ સામેલ હતું. આ કેસમાં સંડોવણીના આરોપમાં તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી સસ્પેન્શનનો આદેશ હતો.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
