લખનઉ, 8 એપ્રિલ: ઉત્તર પ્રદેશના રાયબરેલી સંસદીય સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે સોનિયા ગાંધી વિરૂદ્ધ પોતાનો પડકાર પાછ્યો ખેંચી લીધો છે. રાયબરેલીથી આપના ઉમેદવાર નિવૃત જજ ફકરૂદ્દીને ટિકીટ પરત કરી દિધી છે. પાર્ટીએ તેમની જગ્યા અર્ચના શ્રીવાસ્તવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.
આપના નેતાઓએ તેની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ હાઇકોર્ટમાં જજ રહી ચૂકેલા ફકરૂદ્દીને પોતાને ચૂંટણી અલગ કરી દિધા છે. આપના પ્રદેશ પ્રવક્તા વૈભવ મહેશ્વરીએ જણાવ્યું હતું કે તેમને પાર્ટીને માહિતગાર કર્યા છે કે તે લોકસભા માટે ઉપલબ્ધ રહી શકશે નહી.
પાર્ટીએ સોનિયા ગાંધી વિરૂદ્ધ સામાજિક કાર્યકર્તા અર્ચના શ્રીવાસ્તવને ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપ તરફથી પ્રખ્યાત વકીલ અજય અગ્રવાલને આ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અજયે સોમવારે પોતાનું ઉમેદવરી પત્ર દાખલ કર્યું હતું.