આ રાજ્યમાં આપ સરકાર શરૂ કરશે મેગા રસીકરણ અભિયાન, 25 લાખ પશુઓને અપાશે રસી
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર લમ્પી વાયરસનો સામનો કરવા માટે 5 ફેબ્રુઆરી, 2023 થી એક મેગા રસીકરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત પંજાબમાં લાખો પશુઓને રસી આપવામાં આવશે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને મ
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર લમ્પી વાયરસનો સામનો કરવા માટે 5 ફેબ્રુઆરી, 2023 થી એક મેગા રસીકરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત પંજાબમાં લાખો પશુઓને રસી આપવામાં આવશે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર પશુઓમાં લમ્પી વાયરસ (લમ્પી સ્કિન ડિસીઝ)ના પ્રકોપને રોકવા માટે પ્રયાસો કરી રહી છે. પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે, અને હવે 7 સભ્યોની કમિટી 10 દિવસમાં તેનો રિપોર્ટ આપશે.
ਪਸ਼ੂਆਂ ‘ਚ ਲੰਪੀ ਸਕਿੱਨ ਬਿਮਾਰੀ ਦੀ ਰੋਕਥਾਮ ਲਈ ਯਤਨਸ਼ੀਲ ਮਾਨ ਸਰਕਾਰ
— AAP Punjab (@AAPPunjab) November 11, 2022
Gom ਨੇ ਪਸ਼ੂ ਪਾਲਣ ਮਹਿਕਮੇ ਦੇ ਉੱਚ ਅਧਿਕਾਰੀਆਂ ਨਾਲ ਕੀਤੀ ਮੀਟਿੰਗ, 7 ਮੈਂਬਰੀ ਕਮੇਟੀ 10 ਦਿਨਾਂ ‘ਚ ਸੌਂਪੇਗੀ ਰਿਪੋਰਟ
5 ਫਰਵਰੀ ‘23 ਤੋਂ ਸੂਬੇ ‘ਚ ਸ਼ੁਰੂ ਹੋਵੇਗੀ ਮੈਗਾ ਵੈਕਸੀਨੇਸ਼ਨ ਡਰਾਈਵ, 30 ਅਪ੍ਰੈਲ ‘23 ਤੱਕ 25 ਲੱਖ ਪਸ਼ੂਆਂ ਦੀ ਹੋਵੇਗੀ ਵੈਕਸੀਨੇਸ਼ਨ pic.twitter.com/3aJbXTIIgX
આમ આદમી પાર્ટીના એક નેતાએ કહ્યું કે રાજ્યમાં 5 ફેબ્રુઆરી, 2023થી મેગા રસીકરણ અભિયાન શરૂ થશે, જે અંતર્ગત 30 એપ્રિલ, 2023 સુધીમાં 25 લાખ પ્રાણીઓને રસી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
