For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં હત્યાઓ પર AAPનું મોટુ નિવેદન, ભાજપ સરકાર સુરક્ષા કરવામાં નિષ્ફળ!

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા હર્ષ દેવ સિંહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં BJPને ઘેરી હતી અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની નિંદા કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા હર્ષ દેવ સિંહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં BJPને ઘેરી હતી અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની નિંદા કરી હતી. હર્ષ દેવ સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને એવું લાગે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના હાથમાં કોઈ નિયંત્રણ નથી.

AAP

તેમણે કહ્યું કે પાકિસ્તાને વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી છે, પરંતુ ભાજપ એ વચન સાથે સત્તામાં આવ્યું છે કે સામાન્ય લોકોને સુરક્ષા આપવામાં આવશે. જ્યારે, પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. આતંકવાદીઓ દરરોજ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભાજપ સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

હર્ષ દેવ સિંહે કહ્યું કે સત્તામાં આવતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા કે ઘૂસણખોરી કેન્દ્રની નબળાઈના કારણે થાય છે, તો હવે જ્યારે કેન્દ્રમાં તેમની સરકાર છે ત્યારે આવું કેમ થઈ રહ્યું છે. શા માટે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે? તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કાશ્મીરમાં લઘુમતીઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. આટલું જ નહીં, જ્યારે કાશ્મીરી પંડિતો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, આની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.

તેમણે કહ્યું કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પાછલા બારણે સત્તા ચલાવી રહી છે. લોકોને અને અન્ય રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યાં નથી. રાજ્યમાં દમનની રાજનીતિ કરવામાં આવી રહી છે. આ સહન થવાનું નથી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે, તેથી તેઓ સરકારને અપીલ કરે છે કે લોકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

English summary
AAP's big statement on killings in Kashmir, BJP government fails to provide security!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X