અફઘાનિસ્તાને ભારતમાં દુતાવાસ બંધ કર્યુ, ભારત સરકારનું સમર્થન નહીં મળવાનો આરોપ
અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ ત્યાં સ્થિતી સતત બગડી રહી છે. તાલિબાનીઓના હાથમાં સત્તા આવ્યા બાદ હવે ભારત સાથેના સંબંધો પણ સતત ખરાબ થઈ રહ્યા છે. આ ક્રમમાં જ તાલિબાન સરકારે ભારતમાં દુતાવાસ બંધ કરી દીધુ છે.
અફઘાનિસ્તાને ભારતમાં દૂતાવાસને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે શનિવારે રાત્રે એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, 1 ઓક્ટોબરથી ભારતમાં તેની કામગીરી બંધ કરી રહ્યું છે.

આ નિવેદનમાં અફઘાનિસ્તાને ભારત સરકારના સમર્થનના અભાવને કારણ ગણાવ્યુ છે. દૂતાવાસ તરફથી કહેવાયુ છે કે, ખૂબ જ દુખ સાથે જાહેર કરવામાં આવે છે. આ નિર્ણય ઘણા વિચાર-વિમર્શ બાદ લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ભારતમાં અફઘાનિસ્તાનની એમ્બેસીનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુંદઝઈ કરી રહ્યા હતા. તે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ફરજ બજાવતા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનને યજમાન સરકાર તરફથી કોઈ વિશેષ સમર્થન મળી રહ્યું નથી. અફઘાનિસ્તાન અને તેના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી.
અફઘાન રાજદ્વારીઓએ વિદેશ મંત્રાલયને જાણ કરી છે કે તે દૂતાવાસ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પછી શનિવારે અફઘાન દૂતાવાસે એક નિવેદન જારી કરીને તેના દૂતાવાસને બંધ કરવાની જાહેરાત કરી.
જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. જો કે ભારતે તેને અસ્થાયી રૂપે બંધ કર્યુ છે.
તમને એ પણ જણાવી દઈએ કે, હાલ અફઘાનિસ્તાનમાં સત્તા તાલિબાનના હાથમાં છે. 2021માં તાલિબાને અશરફ ગનીને અફઘાનિસ્તાનમાં સત્તા પરથી હટાવીને દેશ પર કબજો જમાવ્યો હતો. ફરીદ તેમના દ્વારા નિયુક્ત એમ્બેસેડર છે. શક્ય છે કે તાલિબાન સરકાર આમાં ફેરફાર કરવા માંગે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતને તેની સાથે કોઈ મોટી ચિંતા નથી. જો કે અફઘાનિસ્તાનના ઘણા વિદ્યાર્થીઓ ભારતમાં રહે છે અને અભ્યાસ કરે છે. તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
