Atiq Ahmad ની હત્યા બાદ સીએમ યોગએ સચિવ-ડીજીપીને પ્રયાગરાજ મોકલ્યા, રાજ્યમાં કમલ 144 લાગુ
અતીક અહમદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનઆથે અતીક અહમદ અને અશરફ અહમદની સનસનીખેજ હત્યા બાદ આનન ફાનનમાં તત્કાલીક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રદેશમાં ડીજેપી, મુખ્ય સચિવ ગૃહ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થયો હતો.

રિપર્ટ્સની માનવામાં આવે તો અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યમંત્રી ઘણા નારાજ નજર આવ્યા હતા. તેમણે ડીજીપી અને મુખ્ય સચિવ ગૃહને તત્કાલિક પ્રયાગરાજ જવાનો નિર્દેશ આપ્યો હતો .બનેને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, પ્રયાગરાજ જાય અને ત્યાં પર કૈંપિગ કરવામાં આવે.
આ સાથે જ મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની આદેશ પણ આપ્યા છે. ત્રણેય ન્યાયીક આયોગ આ મસમગ્ર મામલાની તપાસ કરશે. ત્યાર બાદ મુખ્યમંત્રીએ મોટી કાર્યવાહી કરતા 17 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દિધી છે.
જણાવી દઇએ કે, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની ઉચ્ચ અધિકીરીઓને નિર્દેશ આપ્યા હતા કે, પ્રદેશમાં કોઇ પણ પ્રકારન ઘટના ના બનવી જોઇએ. રાજ્યભરમાં હાઇ અલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે. શીર્ષ અધિકારીઓને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યાર બાદ તમામ શહેરોમાં રાતથી પોલેીસ સુરક્ષામાં ગોઠવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
