હજ સબસીડી બંધ કરનાર BJP હવે ખ્રિસ્તીઓને મફત લઇ જશે યરૂશાલેમ
હજ સબસીડી બંધ કર્યા પછી ભાજપ દ્વારા નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી વખતે ખ્રિસ્તીઓને મફતમાં યરૂશાલેમની યાત્રા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણો શું છે સમગ્ર મામલો અહીં.
ભાજપે ખ્રિસ્તીઓ માટે યરૂશાલેમનની યાત્રા મફત કરવાનો વાયદો કર્યો છે. પાર્ટી તરફથી આ જાહેરાત નાગાલેન્ડમાં કરવામાં આવી છે. જ્યાં હાલ ચૂંટણીનો માહોલ છે. જો કે હાલ તે વાત સાફ નથી થઇ કે મફત યરૂશાલેમની યાત્રા ખાલી નાગાલેન્ડના ખ્રિસ્તીઓ માટે કરવામાં આવી છે કે પછી સમગ્ર દેશના ખ્રિસ્તી ભાઇઓ બહેનો માટે. વધુમાં ભાજપનો ચૂંટણી વાયદો એટલા માટે પણ ચર્ચાનું કારણ બન્યો છે કેમ કે એક મહિના પહેલા જ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મુસ્લિમોની હજ સબસીડીને બંધ કરી છે. ઉલ્લેખનીય છે કે નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેધાલય અને નાગાલેન્ડમાં 18 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે. મેધાલયમાં 70 ટકા તો નાગાલેન્ડમાં 85 ટકાથી વધુ ખ્રિસ્તી આબાદી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ જાહેરાત ખાલી નાગાલેન્ડના વાસીઓ માટે જ છે. જ્યાં 85 ટકા ખ્રિસ્તી વસ્તી છે. અહીં ભાજપની સરકાર બની તો સરકાર દ્વારા ખ્રિસ્તીઓને યરૂશાલેમની મફત યાત્રાની સુવિધા આપવામાં આવશે. બીજી તરફ આ વાત મીડિયામાં ફેલાત એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે કે "ભાજપ ખ્રિસ્તીઓને મફતમાં યાત્રા કરવાનો વાયદો કરી રહી છે. ભાજપના હિસાબે શું આજે 'ઇન્ડિયા ફસ્ટ'નો મતલબ છે" જો કે રીતે નાગાલેન્ડમાં ચૂંટણી પહેલા ભાજપે આ મફત યરૂશાલેમની યાત્રાની જાહેર કરી છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે કટિબદ્ધ છે. અને આવનારી ચૂંટણીમાં તેને વધુમાં વધુ રાજ્યો તરફથી ફૂલ સપોર્ટ મળે અને કેસરિયા ભારત ભરમાં લહેરાય તે માટે નીતનવા પેંતરા પાર્ટી દ્વારા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે ભાજપની આ જાહેરાતથી આવનારા સમયમાં ભાજપને કેટલો ફાયદો અને કેટલું નુક્શાન થાય છે?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
