Mamipur માં સુધરી રહ્યા છે હાલાત, આજે કર્ફ્યુમાં ત્રણ કલાકની છુટ, વિધાનસભામાં શાંતિ સમિતિ બનશે
મણીપુરમાં હિંસાને લીધે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવો પડ્યો હતો . રાજ્ય સરકાર પોતાના સ્તર પર બેઠકો કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. સમીક્ષા બાદ શનિવાર મોડી રાત્રે આવેલી રિપોર્ટસ અનુસાર આજે સવારે સાત વાગ્યે અમુક વિસ્તારોમાં કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.

મણીપુર સરકારે સમીક્ષા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટને કર્ફ્યુમાં રાહત સંબંધી જાહેરાત મોડી રાત્રે 11 વાગ્યે કરી હતી. મુખ્યમંત્રી એન બીરેન સિહ ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ચુરાચાંદપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આંકલન કરવામાં આવ્યુ હતુ.
સમચાર એજેન્સી એએનઆઇ રિપોર્ટ અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યુ કે, ચૂરાચાંદપુર જિલ્લમાં કાયદો અને વ્યવસ્થા સુધરી છે. હિતધારકો વચ્ચે વાતચીત બાદ 7 મે ની સવારે 7 વાગ્યે થી 10 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે.
આ પહેલા શનિવારે અલગ અલગ ઘટકો સાથે સમસ્યાના પહેલુઓ પર વાતચીત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જમીની સ્તર પર શાંતિ લાવા માટે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં એક શાંતિ સમિતિની બેઠકનું સંકલ્પ લેવામાં આવ્યો છે.
સમિતિ હિંસા અને સંઘર્ષને અંતર્નિહિત કારણોની ઓળખ કરવા અને સમુદાયો વચ્ચે શાંતિપૂર્ણ સંવાદ અને સહયોગ ને આપવાની દિશામાં કામ કરશે. રાજ્ય સરકારે જણાવ્યુ છે કે, મણીપુરની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે તમામ રાજનીતિક પક્ષોએ ભાગ લીધો હતો.
શાતિ અને સ્થિરતા લાવવા માટે ઓલ પાર્ટી મીટિગમાં કોગ્રેસ, સીપીઆઇ, જીડીયુ, એપીએફ શિવસેના, ટીએમસી, બીએસપી, આપ, એણપીપી, સહિતના સ્થાનક પક્ષોના નેતાઓ વિવિધ રાજનીતિક પક્ષોના પ્રતિનિધિ પહોચ્યા હતા.












Click it and Unblock the Notifications
