ક્રૃષિ બિલને સુપ્રીમમાં અપાઇ ચુનોતી, કોંગ્રેસ સાંસદે દાખલ કરી અરજી
દેશભરના ખેડુતો દ્વારા કૃષિ બીલો પર વિરોધ ચાલુ છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે સંસદ દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. દરમિયાન કોંગ્રેસે કૃષિ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
દેશભરના ખેડુતો દ્વારા કૃષિ બીલો પર વિરોધ ચાલુ છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે સંસદ દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. દરમિયાન કોંગ્રેસે કૃષિ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેરળના કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપને કૃષિ વિધેયકને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગત સપ્તાહે પસાર થયેલા ખેડૂતોને લગતા બિલને પાછો ખેંચવા માટે સંસદ દ્વારા રિટ અરજી કરવામાં આવી છે.

કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપે ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને ફાર્મ સેવાઓ અધિનિયમ, 2020 ના કરાર વિરુદ્ધ અરજી કરી છે. ટી.એન.પ્રતાપને સેક્શન 32 ની કલમ 2, 3, 4, 5, 6, 7, 13, 14, 18 અને 19 ની બંધારણીયતાને પડકાર ફેંક્યો છે. તેમનું કહેવું છે કે તે બંધારણના આર્ટિકલ 14, 15 અને 21 ના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો: ક્રૃષિ વિધેયકની વિરૂદ્ધ સુપ્રીમમાં જશે અમરિંદર સિંહ, કહ્યું- અમને પુછ્યા વગર પાસ કરાયું બિલ












Click it and Unblock the Notifications
