રામનવમી પર આ 7 રાજ્યોમાં થયેલી હિંસાથી ભડક્યા ઓવૈસી, કહ્યુ - 'પોલિસના આશીર્વાદથી હિંદુત્વની ભીડે...'
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિંદુવાદી સંગઠન પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ દેશના અલગ-અલગ ભાગોમાં છેલ્લા અમુક દિવસોમાં હિંસક ઘટનાઓ જોવા મળી છે. આને લઈને આઈએમઆઈએમના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિંદુવાદી સંગઠન પર નિશાન સાધ્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને હિંદુવાદી સંગઠનો પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોલિસના સમર્થનથી હિંસા કરી છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે હિંદુવાદી સંગઠનોએ દેશના અલગ-અલગ રાજ્યોમાં હિંસા કરી અને તેમને પોલિસે ઉકસાવ્યા છે અથવા પછી હિંસામાં સાથ આપ્યો છે.

ઓવૈસીએ કહ્યુ -ધર્મગુરુઓએ મુસ્લિમોના નરસંહારની વાત કરી છે
અસદુદ્દીન ઓવૈસીએ એ પણ કહ્યુ છે કે ધર્મ ગુરુઓએ મુસ્લિમોના નરસંહાર અને બળાત્કારની પણ વાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ એ પણ કહ્યુ કે રામનવમી પર દેશની ઘણી રથયાત્રાઓને મુસલમાનો સામે હેટ સ્પીચ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટમાં કહ્યુ, 'હમણાં છેલ્લા અમુક દિવસોમાં પોલિસના આશીર્વાદથી હિંદુત્વની ભીડે આ જગ્યાઓએ હિંસાને ભડકાવી અથવા તેમાં ભાગ લીધો.'

ઓવૈસીએ હિંસાવાળી જગ્યાઓના પણ લીધા નામ
અસદુદ્દીવ ઓવૈસીએ પોતાના ટ્વિટમાં, 'કરૌલી, રાજસ્થાન, ખંભાત અને હિંમતનગર, ખરગોન, મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં ગુલબર્ગા, રાયચૂર, કોલાર, ધારવાડ(રંગભેદ અને અસ્પૃશ્યતા માટે સામાન્ય આહ્નવાન ઉપરાંત), વૈશાલી અને મુઝફ્ફરપુર, બિહાર, સીતાપુર, ઉત્તર પ્રદેશ, ઈસ્લામપુરા, ગોવા...' આ બધી જગ્યાઓએ હાલના દિવસોમાં હિંસા થઈ છે.

'ધર્મગુરુઓએ મુસલમાનો સામે નરસંહાર...'
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટમાં કહ્યુ, 'ધર્મગુરુઓ દ્વારા મુસલમાનો સામે નરસંહાર અને બળાત્કારી કૉલનો ઉલ્લેખ ન કરવો. ઘણા જગ્યાએ રામનવમીની યાત્રાઓનો ઉપયોગ મુસલમાનો સામે નફરતભર્યા ભાષણ આપવા માટે કરવામાં આવ્યો હતો.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
