રામનવમી પર આ 7 રાજ્યોમાં થયેલી હિંસાથી ભડક્યા ઓવૈસી, કહ્યુ - 'પોલિસના આશીર્વાદથી હિંદુત્વની ભીડે...'
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિંદુવાદી સંગઠન પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ દેશના અલગ-અલગ ભાગોમાં છેલ્લા અમુક દિવસોમાં હિંસક ઘટનાઓ જોવા મળી છે. આને લઈને આઈએમઆઈએમના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિંદુવાદી સંગઠન પર નિશાન સાધ્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને હિંદુવાદી સંગઠનો પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોલિસના સમર્થનથી હિંસા કરી છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે હિંદુવાદી સંગઠનોએ દેશના અલગ-અલગ રાજ્યોમાં હિંસા કરી અને તેમને પોલિસે ઉકસાવ્યા છે અથવા પછી હિંસામાં સાથ આપ્યો છે.

ઓવૈસીએ કહ્યુ -ધર્મગુરુઓએ મુસ્લિમોના નરસંહારની વાત કરી છે
અસદુદ્દીન ઓવૈસીએ એ પણ કહ્યુ છે કે ધર્મ ગુરુઓએ મુસ્લિમોના નરસંહાર અને બળાત્કારની પણ વાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ એ પણ કહ્યુ કે રામનવમી પર દેશની ઘણી રથયાત્રાઓને મુસલમાનો સામે હેટ સ્પીચ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટમાં કહ્યુ, 'હમણાં છેલ્લા અમુક દિવસોમાં પોલિસના આશીર્વાદથી હિંદુત્વની ભીડે આ જગ્યાઓએ હિંસાને ભડકાવી અથવા તેમાં ભાગ લીધો.'

ઓવૈસીએ હિંસાવાળી જગ્યાઓના પણ લીધા નામ
અસદુદ્દીવ ઓવૈસીએ પોતાના ટ્વિટમાં, 'કરૌલી, રાજસ્થાન, ખંભાત અને હિંમતનગર, ખરગોન, મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં ગુલબર્ગા, રાયચૂર, કોલાર, ધારવાડ(રંગભેદ અને અસ્પૃશ્યતા માટે સામાન્ય આહ્નવાન ઉપરાંત), વૈશાલી અને મુઝફ્ફરપુર, બિહાર, સીતાપુર, ઉત્તર પ્રદેશ, ઈસ્લામપુરા, ગોવા...' આ બધી જગ્યાઓએ હાલના દિવસોમાં હિંસા થઈ છે.

'ધર્મગુરુઓએ મુસલમાનો સામે નરસંહાર...'
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટમાં કહ્યુ, 'ધર્મગુરુઓ દ્વારા મુસલમાનો સામે નરસંહાર અને બળાત્કારી કૉલનો ઉલ્લેખ ન કરવો. ઘણા જગ્યાએ રામનવમીની યાત્રાઓનો ઉપયોગ મુસલમાનો સામે નફરતભર્યા ભાષણ આપવા માટે કરવામાં આવ્યો હતો.'












Click it and Unblock the Notifications
