Air Indiaની ફ્લાઇટને લંડન કરાઇ ડાઇવર્ટ, મેડિકલ ઇમરજન્સનુ જણાવાયુ કારણ
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 102ને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓન-બોર્ડ મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઇટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 102 લંડન તરફ વાળવામાં આવી, ઓનબોર્ડ મેડિકલ ઈમરજન્સીના અહેવાલો બહાર આવ્યા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 102ને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓન-બોર્ડ મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર, અમેરિકન શહેર ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી AI 102 ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડન ડાયવર્ટ કરવામાં આવી છે. ભારત જતા સમયે એરક્રાફ્ટમાં ઈમરજન્સીની સ્થિતિમાં ફ્લાઈટનો રૂટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Air India New York-Delhi flight (AI-102) diverted to London due to a medical emergency onboard
— ANI (@ANI) February 20, 2023
Details awaited. pic.twitter.com/3WPmZcwB4M
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એર ઈન્ડિયાના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે જ્હોન એફ કેનેડી એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ઈમરજન્સી કોલના કારણે યુએસથી ભારત જતી ફ્લાઈટ AI 102ને ડાયવર્ટ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
