15 મે બાદ શરૂ થઈ શકે છે એર ઈન્ડિયાની ફ્લાઈટો, સ્ટાફને તૈયાર રહેવા કહ્યુ
એર ઈન્ડિયાની ફ્લાઈટો 15 મે બાદ શરૂ થઈ શકે છે. એરલાઈન્સે કહ્યુ છે કે અમુક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મધ્ય મે બાદ શરૂ થઈ શકે છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટો 15 મે બાદ શરૂ થઈ શકે છે. એરલાઈન્સે કહ્યુ છે કે અમુક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મધ્ય મે બાદ શરૂ થઈ શકે છે. પોતાના સ્ટાફને પણ એરલાઈન્સે આ અંગે સૂચિત કર્યુ છે અને તૈયાર રહેવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે એક મહિનાથી વધુ સમય દેશમાં ફ્લાઈટો બંધ છે. 25 માર્ચથી દેશમાં લૉકડાઉન છે અને ત્યારથી ઉડાનો પણ બંધ છે.

એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ અને ડોમેસ્ટીક તેમજ આંતરરાષ્ટ્રીય ઑપરેશન્સ માટે ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પાસની ડિટેલ્સ આપવામાં આવી છે. મેલમાં કહેવામાં આવ્યુ છે કે મે 2020ના મધ્યમાં 25 ટકાથી 30 ટકા ફ્લાઈટો શરૂ કરવાની સંભાવના છે. એટલા માટે તમને અનુરોધ છે કે તમે આના માટે તૈયાર રહો.
તમને જણાવી દઈએ કે પહેલા 14 એપ્રિલ સુધી માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ. એવામાં ઘણી એરલાઈન્સે 15 મે ટિકિટોનુ બુકિંગ શરૂ પણ કરી દીધુ હતુ. લૉકડાઉનને ફરીથી લંબાવ્યા બાદ આને અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યુ. સરકાર તરફથી હજુ સુધી લૉકડાઉન બાદ છૂટ અને રેલવે, ફ્લાઈટો અને બસ સેવા વિશે કંઈ સ્પષ્ટ કર્યુ નથી. કોરોના વાયરસનો ખતરો દેશ અને દુનિયામાં વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 33 હજારને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય તરફથી જારી અધિકૃત આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા ગુરુવારે 33050 થઈ ગઈ છે અને 1074 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
