એર ઇન્ડિયાએ ધુમ્મસમાં યાત્રીઓ માટે લોન્ચ કરી ખાસ સર્વિસ, જાણો
શિયાળામાં ધુ્મ્મસને લીધએ એરલાઇન્સમાં યાત્રીઓને ભારે મુસિબતનો સામનો કરવો પડે છે. ફ્લાઇટ કેન્સલ થવાને લીધે તેમેને આર્થિક નુક્સાન પમ ભોગવુ પડે છે. આવા સંજોગોમાં એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓને રાહત આપે તેવી સર્વિસની શરુઆત કરી છ
ઠંડીના મૌસમમાં દિલ્હી સહિત અન્ય શહેરોમાં ભયાનક ધુમ્મસ ફેલાયેલો છે. એવામાં ઘણી વાર ફ્લાઇટ મોડી કે કેન્સલ થઇ જાય છે. આ સમસ્યાને જોતા એર ઇન્ડીયાએ 'ફોગકેયર' નામની સુવિધાની શરુઆત કરી છે. જેમાં યાત્રીઓને ધુમ્મસથી પ્રભાવિત પોતાની ફલાઇટને રી સેડ્યુઅલ કે કેન્સલ કરવાનો ઓપ્શન આપવમાં આવશે. એર ઇન્ડિયા દ્વારા શરુ કરવામાં આવેલી આ સુવિધા અંતર્ગત યાત્રોઓને મોટી રાહત પણ આપવામાં આવી છે.

એક ઇન્ડિયાએ શિયાળામાં ઘુમ્મસની સ્થિતિના લીધે થનાર વિલંબ અે કેન્સીલેશનના કારણે થનાર વ્વવધાનને ઓછઓ કરવા માટે "ફૉગકેયર" ની શરુઆત કરવામાં આવી છે. જે અનુસાર એર ઇન્ડિયા ધુમ્મસના વાતાવરણ દરમિયાન કસ્મર વગર કોઇ એક્ટ્રા ફેયર પોતાની પ્રભાવિત ઉડાણને રી સેડ્યુઅલ કે રદ્દ કરવાનો ઓપ્શન આપવામાં આવશે.
ફોગકેયર પહેલની શુરાથ દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવા જવા માટેની ઉડાનોથી થશે. ધુમ્મસની સ્થિતિમા, જે ખાસ કરીને ઠંડીના મૌસમાં સવારે જોવા મળે છે. જે ફલાઇટની સર્વિસને પ્રભાવિત કરે છે. ધુમ્મસના કારણે થનાર અસુવિધાને દુર કરવા માટે એર ઇન્ડિયાની આ પહેલ છે.
એરલાઇન પ્રવાસીઓનો સંપર્ક કરશે અને તેમને કોઇ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આપ્યા સિવાય પોતાના પ્રવાસને વધારાના ખર્ચ વગર રિ સેડ્યુલ કરી શકશે. પ્રભાવિત ઉડાનના યાત્રી એરપોર્ટ આવ્યા વગર લાંબી લાઇનમાં લગ્યા સુવિધાનો લાભ લઇ શકશે.












Click it and Unblock the Notifications
