ભારતમાં એરપોર્ટના ખાનગીકરણ સામે એરપોર્ટ કર્મચારીઓનો વિરોધ
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : ભારતમાં 6 વિમાનીમથકોનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની હિલચાલ સામે વિરોધ દર્શાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓએ આજે દેશભરમાં રીલે ભૂખહડતાળ આદરી છે. એરપોર્ટ એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓએ આગામી સમયમાં પોતાનો વિરોધ ઉગ્ર બનાવવાની ચિમકી પણ આપી છે.
એએઆઈના અનેક યુનિયનોના કર્મચારીઓએ જોઈન્ટ ફોરમની રચના કરી છે અને નવી દિલ્હીમાં રાજીવ ગાંધી ભવન ખાતે મુલ્કી ઉડ્ડયન મંત્રાલયની સામે તેમજ દેશભરમાં એએઆઈના કાર્યાલયોમાં ત્રણ-દિવસ લાંબી હડતાળ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર જે એરપોર્ટ્સનું ખાનગીકરણ કરવા ઇચ્છે છે તેમાં અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, જયપુર અને લખનઉના એરપોર્ટનો સમાવેશ થાય છે.

એએઆઈ એમ્પલોઈઝ યુનિયનના મહામંત્રી બી.એસ. અહલાવતનું કહેવું છે કે એએઆઈ દ્વારા આ એરપોર્ટના આધુનિકીકરણ પાછળ કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેથી તેમનું ખાનગીકરણ કરવાનું નક્કી કરાઈ રહ્યું છે. ઉડ્ડયન મંત્રાલયની આ હિલચાલ સામે અમારો વિરોધ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
