Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇટલીના રાજદૂતને દેશની બહાર જતા રોકવા એરપોર્ટ પર એલર્ટ

airport
નવી દિલ્હી, 15 માર્ચ : ઇટાલીના રાજદૂત ડેનિયલ મેનસિનીને ભારત છોડીને જતા રોકવા માટે સમગ્ર દેશના તમામ એરપોર્ટ્સ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે ઇટાલિયન રાજદૂતના ભારત છોડવા અંગે લગાવેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને દેશના ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

ભારતના બે માછીમારોની હત્યાના આરોપી બંને મરીનોને પાછા મોકલવા અંગે ઇટાલની સરકારે ના પાડી ત્યાર બાદ સુપ્રિમ કોર્ટની પરવાનગ લીધા વગર ઇટલીના રાજદૂતને ભારતની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બેને મરીનોને અદાલતે ચૂંટણીમાં મતદાન કરવા જવા દેવાની અનુમતિ આપી હતી. આ સાથે જ ઇટાલિયન રાજદૂતે પણ તેમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઇટાલિયન જહાજ 'એનારિકા લેક્સી' પર નિયુક્ત બંને મરીનોએ બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X