For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના રાજદૂતને દેશની બહાર જતા રોકવા એરપોર્ટ પર એલર્ટ

|
Google Oneindia Gujarati News

airport
નવી દિલ્હી, 15 માર્ચ : ઇટાલીના રાજદૂત ડેનિયલ મેનસિનીને ભારત છોડીને જતા રોકવા માટે સમગ્ર દેશના તમામ એરપોર્ટ્સ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે ઇટાલિયન રાજદૂતના ભારત છોડવા અંગે લગાવેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને દેશના ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

ભારતના બે માછીમારોની હત્યાના આરોપી બંને મરીનોને પાછા મોકલવા અંગે ઇટાલની સરકારે ના પાડી ત્યાર બાદ સુપ્રિમ કોર્ટની પરવાનગ લીધા વગર ઇટલીના રાજદૂતને ભારતની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બેને મરીનોને અદાલતે ચૂંટણીમાં મતદાન કરવા જવા દેવાની અનુમતિ આપી હતી. આ સાથે જ ઇટાલિયન રાજદૂતે પણ તેમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઇટાલિયન જહાજ 'એનારિકા લેક્સી' પર નિયુક્ત બંને મરીનોએ બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

English summary
Airports alerted to prevent Italian envoy from flying out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X