Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેં જેને ભણાવ્યો તે અજમલ કસાબ જીવિત : પાકિસ્તાની શિક્ષક

લાહોર, 8 મે : વર્ષ 2008ના મુંબઇ આતંકવાદી હુમલાના દોષિત અજમલ કસાબને કથિત રીતે ભણાવનારા શિક્ષકે પાકિસ્તાનની એક અદાલતમાં જણાવ્યું છે કે જે અજમલ કસાબને તેઓ જાણતા હતા, તે હજી પણ જીવિત છે. ભારતમાં તેને ફાંસી નથી થઇ.

લાહોરથી અંદાજે 120 કિલોંમીટર દૂર પંજાબના ઓકારા જિલ્લાના દેપાલપુર તાલુકાના ફરીદકોટ સ્થિત એક પ્રાથમિક શાળાના શિક્ષકે જણાવ્યું છે કે મેં અજમલ કસાબને ભણાવ્યો હતો. પણ એને નહીં જેને મુંબઇ હુમલા બદલ ભારતમાં ફાંસી આપવામાં આવી છે.

ajmal-kasab

સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું છે કે જે અજમલ કસાબને મેં ભણાવ્યો હતો, તે હજી પણ જીવિત છે. જેને ભારતમાં ફાંસી થઇ તેનો દાખલો આ શાળામાં થયો ન હતો. શિક્ષકે આ સાથે જ વિદ્યાર્થીનો સ્કૂલ રેકોર્ડ પણ રજૂ કર્યો છે.

આ શિક્ષક ઇસ્લામાબાદ સ્થિત આતંકવાદી વિરોધી અદાલતમાં ફરિયાદી પક્ષના ગવાહ હતા. તેઓ વર્તમાન સમયમાં ભારતીય આર્થિક રાજધાની મુંબઇમાં થયેલા હુમલાની સુનવણી કરી રહી છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.

કસાબના નિવેદનનું અંગ્રેજીમાં ભાષાંતર કરનારા પંજાબની એનએએમએએલ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રમુખ પણ આ અદાલતમાં રજૂ થયા હતા. પરંતુ તેઓ કસાબના નિવેદનના અનુવાદને રજૂ કરી શક્યા ન હતા. કારણ કે બચાવ પક્ષે એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે કસાબના નિવેદનને આ મામલામાં હિસ્સો બનાવવાનો બાકી છે. ત્યાર બાદ અદાલતે આ કેસની સુનવણી 14 મે, 2014 સુધી મુલતવી રાખી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X