ભારતમાં કોઇ અલ્પસંખ્યક નથી, બધા હિન્દુ છે: આરએસએસ
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ ગુરૂવારે કહ્યું કે જે અલ્પસંખ્યક શબ્દની ચર્ચા વારંવાર કરવામાં આવે છે, તે પણ સંઘની શાખાઓમાં આવે છે અને દેશસેવાનું વ્રત લે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતમાં કોઇ પણ વ્યક્તિ અલ્પસંખ્યક નથી, દરેક વ્યક્તિ હિન્દુ છે.
આરએસએસ આ વાત લાંબા સમયથી કહેતું આવ્યું છે. મનમોહન વૈદ્યે કહ્યું 'આરએસએસ ધર્મ કે જાતિ આધારિત આંકડા રાખતું નથી અને ના તો કોઇને અલ્પસંખ્યક ગણે છે.' તેમણે કહ્યું કે 'સામાન્ય લોકોનો લગાવ સંઘ તરફ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2012માં સંઘની સાઇટ પર દર મહિને એક હજાર લોકો તેની સાથે જોડાવવા માંગે છે. અને સમાજ તથા રાષ્ટ્ર માટે કંઇક કરવાની મંશા ધરાવે છે. પરંતુ વર્ષ 2013માં આ સંખ્યા વધીને 13 હજારના આંકડાને પાર કરી ગઇ હતી. આ વર્ષે પણ લોકોનું વલણ સંઘ તરફ વધી રહ્યું છે.'

તેમણે કહ્યું કે સંઘ સાથે જોડાનારને ટ્રેનિંગ માટે સાત દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ આયોજિત કરવામાં આવે છે. પરંતુ હવે આ સંખ્યામાં થઇ રહેલા વધારાને જોતાં સંઘે એક દિવસનો સંઘ પરિચય વર્ગ આયોજિત કરવામાં આવી રહ્યો છે. પરિચય વર્ગમાં આવનારની સંખ્યા સંઘ શિક્ષા વર્ગથી ચાર ગણી વધારે આવી રહી છે. આ સંખ્યા આરએસએસની વધતી જતી લોકપ્રિયતાને વ્યક્ત કરી રહી છે.
એક પ્રશ્નના જવાબમાં મનમોહન વૈદ્યે કહ્યું 'અત્યાર સુધી એવી કોઇ વાત સામે આવી નથી, જેમાં કહી શકાય કે પ્રસ્તાવ મંજૂર થશે. આગામી બે દિવસોની બેઠકમાં ચર્ચા કર્યા બાદ સૂરત બની તો પ્રસ્તાવ મંજૂર થશે.' મનમોહન વૈદ્યે જણાવ્યું કે આરએસએસની કાર્યકારી મંડળની બેઠકમાં દેશભરમાં કામ કરી રહેલા 33 સંગઠનોના કાર્ય કરી રહેલાં 390 સ્વંયસેવક ભાગ લેવા માટે લખનઉ આવ્યા છે. તેમના અનુભવોના આધાર પર આગામી કાર્ય યોજના બનાવવામાં આવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
