કર્ણાટકમાં ભાજપને સરકાર નહી બનાવવા દઈએઃ દેવગૌડા
એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે.
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે અણબનના સમાચાર મળી રહ્યા હતા. પૂર્વ સીએમ સિદ્ધરમૈયાએ પણ આ વિવાદને વધારતા કહ્યું હતું કે તેઓ જનતાના આશિર્વાદથી વધુ એક વખત કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. જ્યારે સીએમ કુમારસ્વામી પહેલેથી જ ગઠબંધનની સરકાર ચલાવવામાં પડી રહેલ મુશ્કેલીઓની વાત સ્વીકારી ચૂક્યા છે. બીજી બાજુ જેડીએસ પ્રમુખ દેવગૌડએ પણ આ વિવાદ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે. એચડી દેવગૌડાએ કહ્યું કે લોકસભા ચૂંટણી સહિત કોઈ સ્થિતિમાંથી નીકળવા માટે બંને સાથે મળીને લડશે. હાલના દિવસોમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા, એવા સમયે દેવગૌડનું આ નિવેદન બંને વચ્ચેની મુશ્કેલીઓ અને વિવાદને ઓછો કરી શકે છે.
અગાઉ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પણ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં કર્ણાટકની સરકાર પડી ભાંગશે. ગૌડાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ નિર્ણય કરી લીધો છે કે તેઓ સરકારમાંથી પોતાનો ટેકો પરત ખેંચી લેશે, એવામાં હવે માત્ર ઔપચારિકતા બચી છે કે ક્યારે આ સરકાર પડી ભાંગે. એટલું જ નહીં, એમણે કહ્યું હતું કે જો સિદ્ધરમૈયા સમર્થન પાછું ખેંચી લે તો તેઓ ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે, કેમ કે ભાજપ એમને ક્યારેય સમર્થન નહીં આપે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી








Click it and Unblock the Notifications
