જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકનને લઈ PM મોદીની સર્વદળીય બેઠક મળશે
જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકનને લઈ PM મોદીની સર્વદળીય બેઠક મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની તમામ પાર્ટીઓ સાથે બેઠક મળનાર છે, એનડીટીવીના રિપોર્ટ મુજબ સીમાંકનને લઈ આ બેઠક મળનાર છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યનો દરજ્જો યથાવત રાખવાના અંદાજાઓ પર આની સાથે જ વિરામ લાગી ગોય છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવા માટે સંસદની મંજૂરી જરૂર હોય છે. પરંતુ સરકારે વચન આપ્યું કે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરી શરૂ કરી દેવાશે, પરંતુ તે સમય હજી નથી આવ્યો. સાથે જ સૂત્રોએ જણાવ્યું કે આ કેન્દ્ર દ્વારા જૂનના પહેલા અઠવાડિયામાં શરૂ થયેલ પ્રશાસનિક કવાયતને રાજનૈતિક રૂપે માન્યતા અપાવવાની કોશિશ છે.
સૂત્રોએ કહ્યું કે જો જમ્મુ-કાશ્મીરને બીજીવાર રાજ્યનો દરજ્જો આપવા પર ચર્ચા પણ કરવામાં આવે તો અનુચ્છેદ 370 અંતર્ગત પહેલાં તેને અપાયેલ વિશેષ રાજ્યનો દરજ્જો ફરી આપવાનો સવાલ જ પેદા નથી થતો.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે. સીમાંકન અભ્યાસ પૂરો થયા બાદ જ વિધાનસભા ચૂંટણી થઈ શકે છે, જેમાં વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોની સીમાઓને ફરીથી નિર્ધારિત કરવી સામેલ છે.
જલદી જ ચૂંટણી કરાવવા સીમાંકન શક્ય હોય તેટલી જલદી પૂરાં કરી લેવું જરૂરી છે. આયોગે તમામ જિલ્લા કમિશ્નરો પાસેથી બેઝિક જાણકારી માંગી છે. રાજ્યમાં હવે વિધાનસભા ચૂંટણી સીમાંકન આયોગની ભલામણના આધારે બનાવવામાં આવેલ વિધાનસભા ક્ષેત્રોના આધારે હશે. આયોગ પાછલા વર્ષે બનાવવાનું આવ્યું હતું અને તેની અવધીમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો.
માટે વિપક્ષના નેતાઓએ સીમાંકન આયોગની બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો. વિપક્ષી નેતા જેમ કે નેશનલ કોન્ફ્રેંસના ડૉ ફારુક અબ્દુલ્લા, હસનૈન મસૂદી અને મોહમ્મદ અકબર લોને આયોગની બેઠકમાં ભાગ નહોતો લીધો, આ આયોગના અધ્યક્ષ રિટાયર જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે.