For Quick Alerts
For Daily Alerts
30 જૂનથી શરુ થશે અમરનાથ યાત્રા, 11 એપ્રિલથી ઑનલાઈન રજિસ્ટ્રેશન ખુલશે
અમરનાથ યાત્રાની શરુઆતની તારીખનુ એલાન કરી દીધુ છે.
શ્રીનગરઃ અમરનાથ યાત્રાની શરુઆતની તારીખનુ એલાન કરી દીધુ છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નિતીશ્વર કુમારે જણાવ્યુ કે અમરનાથ યાત્રા 2022ની શરુઆત 30 જૂનથી હશે અને આ 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનની શરુઆત 11 એપ્રિલે હશે. તીર્થયાત્રી શ્રાઈન બોર્ડની ઑનલાઈન વેબસાઈટ અને એપ દ્વારા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ રંબન જિલ્લામાં બનાવવામાં આવ્યા છે જ્યાં 3000 તીર્થયાત્રી રોકાઈ શકે છે. શ્રાઈન બોર્ડને આશા છે કે આ વર્ષે સરેરાશ તીર્થયાત્રીઓની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. તીર્થયાત્રી 11 એપ્રિલથી આના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન 446 જમ્મુ કાશ્મીરની શાખાઓ, પીએનબી, યસ બેંક અને એસબીઆઈની 100 બેંક શાખાઓથી કરાવવામાં આવી શકે છે.
Comments
English summary
Amarnath YAtra 2022 will begin from 30th June
Story first published: Friday, April 8, 2022, 8:55 [IST]