For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્દુ મીલમાં બનશે બાબા સાહેબ આંબેડકરનું સ્મારક

|
Google Oneindia Gujarati News

baba ambedkar
મુંબઇ, 5 ડિસેમ્બર: મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે મુંબઇમાં ઇન્દુ મીલને હટાવીને ત્યાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સ્મારક બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ભીમરાવ આંબેડકર સ્મારકના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારને ઇન્દુ મીલનું હસ્તાંતરણ કરવાનો આદેશ જારી કર્યો છે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ આઠવલેએ બાબા સાહેબ આંબેડકરના સ્મારકના નિર્માણ માટે ઇન્ડિયા યુનાઇટેડ મીલની જમીન સોંપવાના સંબંધમાં કેન્દ્રની જાહેરાતનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા દ્વારા આજે લોકસભામાં આપેલા ભાષણ પર આઠવલેએ કેન્દ્રનો આભાર માનતા જણાવ્યું કે આંબેડકરના લાખો અનુયાયીઓની લાંબા સમયની માંગ પૂરી થવા જઇ રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારને હવે 14 એપ્રિલ સુધી જમીનના વાસ્તવીક અંતરણમાં મદદ કરવી જોઇએ. અનેક આંબેડકર અનુયાયીઓ અત્રે ઉપસ્થીત રહે તેવી સંભાવના છે. ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરની આવતીકાલની પુણ્યતિથિ છે. આ પહેલા આઠવલેએ જણાવ્યું હતું કે જો કેન્દ્રએ જમીન સોંપવાનો આદેશ નહી આપ્યો તો તેની પર જબરદસ્તી કબજો જમાવી લેવામાં આવશે.

English summary
The decks have been cleared by the Centre to transfer prime Indu Mill land in Mumbai to the Maharashtra Government for constructing a memorial to B R Ambedkar, meeting a long-pending demand of several political parties in the State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X