For Quick Alerts
For Daily Alerts
ઇન્દુ મીલમાં બનશે બાબા સાહેબ આંબેડકરનું સ્મારક
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ આઠવલેએ બાબા સાહેબ આંબેડકરના સ્મારકના નિર્માણ માટે ઇન્ડિયા યુનાઇટેડ મીલની જમીન સોંપવાના સંબંધમાં કેન્દ્રની જાહેરાતનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા દ્વારા આજે લોકસભામાં આપેલા ભાષણ પર આઠવલેએ કેન્દ્રનો આભાર માનતા જણાવ્યું કે આંબેડકરના લાખો અનુયાયીઓની લાંબા સમયની માંગ પૂરી થવા જઇ રહી છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારને હવે 14 એપ્રિલ સુધી જમીનના વાસ્તવીક અંતરણમાં મદદ કરવી જોઇએ. અનેક આંબેડકર અનુયાયીઓ અત્રે ઉપસ્થીત રહે તેવી સંભાવના છે. ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરની આવતીકાલની પુણ્યતિથિ છે. આ પહેલા આઠવલેએ જણાવ્યું હતું કે જો કેન્દ્રએ જમીન સોંપવાનો આદેશ નહી આપ્યો તો તેની પર જબરદસ્તી કબજો જમાવી લેવામાં આવશે.
Comments
indu mill b r ambedkar memorial maharashtra mumbai મહારાષ્ટ્ર મુંબઇ ઇન્દુ મીલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સ્મારક
English summary
The decks have been cleared by the Centre to transfer prime Indu Mill land in Mumbai to the Maharashtra Government for constructing a memorial to B R Ambedkar, meeting a long-pending demand of several political parties in the State.
Story first published: Wednesday, December 5, 2012, 18:48 [IST]