પૈસા, છોકરીઓની સપ્લાય અને ગણેશ પરિક્રમા કરવાથી મળે છે ભાજપની ટિકિટ, ઑડિયો વાયરલ
આંબેડકર નગરથી ટિકિટ કપાયા બાદ ભાજપ સાંસદે પાર્ટી હાઈ કમાન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં ઉમેદવારોની અદલાબદલી કરી છે. ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી અથવા તેમને કોઈ અન્ય સીટથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને અમુક નેતાઓએ સ્વીકારી લીધો જ્યારે મોટાભાગના નેતાઓએ ટિકિટ કપાયા બાદ બાગી તેવર અપનાવી લીધા છે. વળી, આંબેડકર નગરથી ટિકિટ કપાયા બાદ ભાજપ સાંસદે પાર્ટી હાઈ કમાન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ટિકિટ કપાવા પર હરિઓમ પાંડે પર લગાવ્યા ગંભીર આરોપ
ભાજપના વર્તમાન સાંસદ હરિઓમ પાંડેએ આરોપ લગાવતા કહ્યુ કે પૈસા અને છોકરઓની સપ્લાય કરવાથી જ ટિકિટ મળે છે. સમગ્ર પ્રદેશમાં બ્રાહ્મણોની હત્યા થઈ રહી છે પરંતુ કોઈ સુનાવણી નથી થઈ રહી. હરિઓમ પાંડેએ કહ્યુ કે ભાજપ જિલ્લાધ્યક્ષ પર ગુનાહિત કેસ નોંધાયેલ છે. હરિઓમ પાંડે આટલેથી ન રોકાયા. તેમણે કહ્યુ કે, ‘એક યુવતી બળાત્કારનો આરોપ લગાવીને ધરણા પર બેઠી હતી. સપા-બસપાની પાર્ટીમાં બોલબાલા છે. તેમણે કહ્યુ કે બસપાને વધારવા માટે કામ કરવામાં આવી રહ્યુ છે. બહારના વ્યક્તિને પાર્ટી ચૂંટણી લડાવી રહી છે. આમે બ્રાહ્મણોનો શ્રાપ લાગશે.'

હરિઓમ પાંડેનો એક ઑડિયો વાયરલ
હરિઓમ પાંડેનો એક ઑડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે આરોપ લગાવ્યા કે સંગઠન મંત્રી સુનીલ બંસલે ગણેશની પરિક્રમા ના કરવાના કારણે જ તેમની ટિકિટ કપાઈ છે. તેમણે કહ્યુ કે આનુ નુકશાન પાર્ટીએ આખા પૂર્વાંચલમાં ભોગવવુ પડશે. તેમણે કહ્યુ કે વારાણસી સીટ ઉપરાંત ભાજપ કોઈ સીટ જીતવાની નથી. ભાજપે સોમવારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ હતુ. પાર્ટીએ પ્રદેશના સહકારિતા મંત્રી મુકુટ બિહારી વર્માને આંબેડકરનગરથી ટિકિટ આપી છે.

મુકુટ બિહારી વર્માને આંબેડકર નગરથી પાર્ટીએ આપી છે ટિકિટ
2014ની લોકસભા ચૂંટણીમાં હરિઓમ પાંડે આંબેડકર નગરથી સાંસદ ચૂંટવામાં આવ્યા હતા. તેમણે બસપાના રાકેશ પાંડેને લગભગ એક લાખ 40 હજાર મતોથી હરાવ્યા હતા. હરિઓમ પાંડે ભાજપથી એવા પહેલા ઉમેદવાર છે જેમણે આંબેડકર નગર સીટથી લોકસભા ચૂંટણી જીતી હતી. પાંડે એસસી-એસટી એક્ટના વિરોધમાં ખુલીને આવ્યા હતા અને તેમનો આરોપ છે કે બ્રાહ્મણોનું કોઈ સાંભળી નથી રહ્યુ. તે બોલ્યા કે ઉંમરની સીમા માત્ર બ્રાહ્મણ નેતાઓ પર જ લાગુ થઈ રહી છે ભલે તે કલરાજ મિશ્રા હોય, મુરલી મનોહર જોશી હોય કે કોઈ બીજુ. વાયરલ ઑડિયોમાં ભાજપ નેતા કહી રહ્યા છે કે તેમની શું ભૂલ છે, એ પાર્ટી જણાવે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
