આજથી અમિત શાહ પાંચ દિવસ માટે યુપીના પ્રવાસે
લખનઉ, 1 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી અમિત શાહ પહેલી ઓક્ટોબર એટલે કે આજથી ઉત્તર પ્રદેશનો પ્રવાસ શરૂ કરી રહ્યા છે. અમિત શાહનો ઉત્તર પ્રદેશ નો આ પ્રવાસ પાંચ દિવસ સુધી ચાલશે.
પાર્ટીથી મળેલી જાણકારી અનુસાર, શાહ 1 ઓક્ટોબરના રોજ લખનઉમાં, 2 ઓક્ટોબરના રોજ મથુરા નગલા ચંદ્રભાનમાં પં. દીન દયાલ ઉપાધ્યાયના જન્મ દિવસ પર આયોજિત સાર્વજનિક સભાને સંબોધિત કરશે, 3 ઓક્ટોબરના રોજ કાનપુરમાં ક્ષેત્રીય બેઠક તથા કાનપુર અને બુંદેલખંડના પૂર્વ જનપ્રતિનિધિયોની બેઠકમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ આવી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓના પગલે ભાજપે પૂર જોરશોરમાં પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અને લોકો તરફથી ભાજપને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
