અમિત શાહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, એક જવાનના બદલે 10 દુશ્મનને મારશું
અમિત શાહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, એક જવાનના બદલે 10 દુશ્મનને મારશું
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમિત શાહે પાકિસ્તાન અને તેના સમર્થિત આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જો અમારા જવાનો પર હુમલો થયો તો ફરીથી જવાબી કાર્યવાહી કરીશું. મેલાઘાટમાં રેલીને સંબધિત કરતા અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા ઘણી આકરી કરી દીધી છે. જો એક પણ જવાનો મૃત્યુ પામ્યો તો ભારત 10 દુશ્મનોને મોતને ઘાટ ઉતારશે.

પીએમના વખાણ કર્યાં
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કરવાનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારે જબરદસ્ત કામ કર્યું છે. સંવિધાનથી આર્ટિકલ 370 ખતમ કરી પીએમ મોદીએ મોટું પગલું ભર્યું છે. અમિત શાહે કોંગ્રેસ અને એનસીપીની આલોચના કરતા કહ્યું કે બંને જ દળોએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યાનો વિરોધ કર્યો હતો. શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને શરદ પવારને આર્ટિકલ 370 ખતમ કરવા પર તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

રાહુલ-શરદ પર પ્રહાર કર્યો
અમિત શાહે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ આર્ટિકલ 370ને ખતમ કર્યો તો કોંગ્રેસ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આખો દેસ કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવાની વકાલત કરી રહ્યો હતો ત્યારે આ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાશ્મીરમાં ખૂની નદીઓ વહી જશે, પરંતુ એક પણ ગોળી નહિ ચલાવવી પડે. અમિત શાહે શરદ પવાર પર પણ તીખો હુમલો કર્યો, તેમણે કહ્યું કે, એનસીપી કોંગ્રેસ ગઠબંધનને જણાવવું જોઈએ કે તેમણે મહારાષ્ટ્ર માટે શું કર્યું, તેમની સરકારની ઉપલબ્ધી શું છે?

21 ઓક્ટોબરે ચૂંટણી
જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને 5 ઓગસ્ટે ખતમ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં પણ વહેંચી દીધું હતું. કેન્દ્ર સરકારના આ પગલાનો એનસીપી અને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, જ્યારે 24 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામની ઘોષણા કરવામાં આવશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
