MP Election મધ્યપ્રદેશ ચૂટણીને લઇને બીજેપીનો દિલ્લીમાં મંથન, અમિત શાહ ચૂંટણીની તૈયારીને લઇને કરશે બેઠક
મધ્યપ્રદેશ ચૂંટણીની તૈયારીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી રાજ્યોમાં પાર્ટી દ્રારા કરવામાં આવેલ કાર્ય અંગે શાહને એક રિપોર્ટ સોપવામાં આવશે અને જણાવશે કે આવનાર દિવસોમાં તે શુક કરશે.

MP Assembly Election: બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે મધ્યપ્રદેશમાં આગામા વિધાનસભા ચૂટમી માટે પક્ષની તૈયારીઓ સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતાના આવાશ પર બેટક કરી હતી. જેમા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિહ ચૌહાણ, પાર્ટીના રાજ્ય ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા અને અન્ય વરિષ્ઠ નેતા હાજર રહેશે.
બૈઠક દરમિયાન મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી રાજ્યમાં પાર્ટી દ્વારા કરવામાં આવેલ કાર્યો અંગે શાહને એક રિપોર્ટ સોપી અને જણાવ્યુ હતુ કે, તે આવનાર સમયમાં શુ કરશે. સૂત્રોની મનવામાં આવે તો તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્યમાં આગામી યાત્રાની તૈયારી અંગે પણ ચર્ચા કરી હતી.
બીજેપીને સત્તામાં વાપસીની આશા
મધ્યપ્રદેશમાં આ વર્ષે અંતમાં વિધાનસભા ચૂટણી થનાર છે. સત્તારુઢ બીજેપીને આશા છે કે, તે સત્તામા કાયમ રહેશે. જ્યારે વિપક્ષ કોગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તે સત્તારુઢ સરકારને સત્તામાથી બહાર કરશે. જણાવી દઇએ કે, છેલ્લા થોડા મહિનાથી અમિત શાહએ મધ્ય પ્રદેશના ઘણા પ્રવાસ કર્યા છે . જમાથી પાર્ટી નેતાઓ સાથે ચૂંટણીને લઇને ચર્ચા કરી છે. ગયા મહિનાના આખરીમાં અમિત શાહ ભોપાલ પહોચ્યા હતા. અંહિયા તેમણે બીજેપી નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી.
આજે જબલપુરના પ્રવાસે જશે અમિત શાહ
શાહે માલવા અને નિમાડનો પ્રવાસ કર્યો હતો. જણાવામાં આવે છે કે, નિવાડના ભાજપી નેતા પદ્દાધિકારી અને કાર્યકર્તાઓની જીતનો મંત્ર આપ્યા બાદ હવે અમિત શાહ પોતાનો ફોકશ મહાકોશલ અને ગ્વાલિયર-ચંબલ પર આપવા માગે છે. આજ કારણ છે કે તે બદલાપુર પ્રવાસ દરમિયાન જબલપુર માં પણ નેતા અને પદ્દાધિકારીઓ સાથે મીટિગ કરશે. તેમણે આવનાર ચૂંટણીમાં ટાસ્ક આપશે. મહાકોશલ ના પ્રવાસ બાદ તે ગ્વાલિયર જશે અને ત્યાં જનસભાને સંબોધન કરશે.












Click it and Unblock the Notifications
